રાજકોટનાં ઉપલેટા તાલુકાનાં ગઢાળા ગામે વરસાદથી કોઝ વે ધોવાયો, ગ્રામજનોમાં નારાજગી, ઝડપથી સમારકામ કરવા માટે કરી માગ
સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે, ગત અઠવાડિયે વરસેલા અનરાધાર વરસાદને લીધે તારાજગી થવા પામી છે અને હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે, ઉપલેટા તાલુકામાં થયેલી તારાજગી હવે સામે આવી રહી છે, તાલુકાના ગઢાળા ગામ પાસેથી નિકળતી મોજ નદીમાં આવેલા ઘોડાપૂરમાં ગામ પાસે આવેલો કોઝવે અને ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યાં હતા જેના પગલે […]
સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે, ગત અઠવાડિયે વરસેલા અનરાધાર વરસાદને લીધે તારાજગી થવા પામી છે અને હવે તેના દ્રશ્યો સામે આવ્યા છે, ઉપલેટા તાલુકામાં થયેલી તારાજગી હવે સામે આવી રહી છે, તાલુકાના ગઢાળા ગામ પાસેથી નિકળતી મોજ નદીમાં આવેલા ઘોડાપૂરમાં ગામ પાસે આવેલો કોઝવે અને ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યાં હતા જેના પગલે આ મુખ્ય રસ્તો ધોવાઈ ગયો હતો, રસ્તામાં મોટો મોટા ગાબડા પડી ગયા હતા, રસ્તો અને કોઝવે તૂટી ગયો હતો જેના પગલે ગામ લોકોને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે, જ્યારે હજુ ચોમાસાનો પ્રથમ વરસાદ હોય અને આખુ ચોમાસુ બાકી હોય ગામના સરપંચ દ્વારા આ પુલ અને કોઝવે તાત્કાલિક રીપેરીંગની માગણી કરવામાં આવી છે.