રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની વધી મુશ્કેલી, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગ્યું ખાતર
રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની સાથે સરકાર પણ ચિંતિત છે. ચાલુ મહિને યુરિયાના ખૂબ મોટા જથ્થાની જરૂરિયાત છે. ત્યારે જરૂરિયાત સામે સરકાર પાસે 10 હજાર મેટ્રિક ટન કરતા પણ ઓછું ખાતર ઉપલબ્ધ છે. સૂત્રએ આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વધારે ખાતર માગ્યું છે. ચાલુ મહિને એટલે કે જાન્યુઆરીમાં 29 હજાર 530 મેટ્રિક […]
રાજ્યમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની સાથે સરકાર પણ ચિંતિત છે. ચાલુ મહિને યુરિયાના ખૂબ મોટા જથ્થાની જરૂરિયાત છે. ત્યારે જરૂરિયાત સામે સરકાર પાસે 10 હજાર મેટ્રિક ટન કરતા પણ ઓછું ખાતર ઉપલબ્ધ છે. સૂત્રએ આપેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વધારે ખાતર માગ્યું છે. ચાલુ મહિને એટલે કે જાન્યુઆરીમાં 29 હજાર 530 મેટ્રિક ટન યુરિયા ખાતર સામે 19 હજાર 95 મેટ્રિક ટન યુરિયા ખાતર વેચાઈ ચૂક્યું છે.
આ પણ વાંચોઃ ગોધરાના ભુરાવાવમાં ખાનગી ગોડાઉનને અજગરપાર્ક સોસાયટી દર્શાવી નકલી વોટિંગ કાર્ડ બનાવ્યા!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હવે બાકી બચતુ 10 હજાર 435 મેટ્રિક ટન ખાતર પણ આગામી બે દિવસમાં વેચાઈ જશે. જો બે દિવસમાં ખાતરનો વધારે જથ્થો નહીં મળે તો રાજ્યમાં ખાતરનો જથ્થો ખૂટી જશે. ડિસેમ્બર મહિનામાં પણ 45 હજાર મેટ્રિક ટનની ઉપલબ્ધિ સામે 58 હજાર મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત ઉભી થઈ હતી. મહત્વનું છે કે હાલ હેક્ટર દીઠ ખેડૂતોને બે બોરી જ યુરિયા ખાતર અપાઈ રહ્યું છે, જ્યારે કે હેક્ટર દીઠ ખેડૂતોને 9થી 10 બોરીની જરૂરિયાત પડે છે.