સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે મચાવી તબાહી, સોસાયટીઓ અને ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્મશાન યાત્રા પાણીમાંથી પસાર થઈ હતી. વિઠ્ઠલગઢ મોક્ષધામ આજુબાજુ જળબંબાકાર થઈ ગયો છે. લોકો મૃતદેહ લઇ પાણીમાંથી પસાર થયા હતા. બીજી બાજુ વઢવાણ તાલુકાના મેમકા અને આસપાસના ગામના ખેડૂતોની 1500 વિઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોનો આક્ષેપ છેકે […]
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે તબાહી મચાવી છે. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ભરાયા વરસાદી પાણી ભરાતા સ્મશાન યાત્રા પાણીમાંથી પસાર થઈ હતી. વિઠ્ઠલગઢ મોક્ષધામ આજુબાજુ જળબંબાકાર થઈ ગયો છે. લોકો મૃતદેહ લઇ પાણીમાંથી પસાર થયા હતા. બીજી બાજુ વઢવાણ તાલુકાના મેમકા અને આસપાસના ગામના ખેડૂતોની 1500 વિઘા જેટલી જમીનમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખેડૂતોનો આક્ષેપ છેકે ખંજેલીથી સાંકળી પર બનેલા નવા રસ્તા પર કોઈ કોઝવે નહીં મુકાયો હોવાથી આ સ્થિતિ ઉદભવી છે. સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે. ઉમિયાનગર, ઓમકાર, શાંતિનગર અને દર્શન સોસાયટીમાંથી પાણીનો નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 1 થી 9 ઇંચ પડ્યો વરસાદ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો