કોરોના દર્દીની સારવાર કરતા LG, શારદાબેન, SVP હોસ્પિટલના 60 ડોકટરને કોરોના
અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા, તબીબો જ કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમદાવાદની શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તબીબોના કરાયેલા પરીક્ષણમાં ત્રણેય હોસ્પિટલમાંથી કુલ 60 તબીબોને કોરોના […]
અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા, તબીબો જ કોરોનાનો ભોગ બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના 60 તબીબો, કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. અમદાવાદની શારદાબહેન જનરલ હોસ્પિટલ, લલ્લુભાઈ ગોરધનદાસ (LG) હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં કોરોનાનુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તબીબોના કરાયેલા પરીક્ષણમાં ત્રણેય હોસ્પિટલમાંથી કુલ 60 તબીબોને કોરોના થયો હોવાનુ સામે આવતા જ મ્યુનિસિપલ તંત્ર ચોકી ઉઠ્યું છે. સૌથી વધુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના તબીબો કોરોનાનો ભોગ બન્યા છે. કોરોના વોરિયર્સ તરીકે ઓળખ પામેલ તબીબો જ કોરોનાનો ભોગ બની રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જેના પગલે હવે હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા કર્મચારીઓનો કોરોના પરિક્ષણ બંધ કરવાનું નક્કી કરાયુ છે.
આ પણ વાંચોઃવડોદરામાં ઓક્સીજનનો જથ્થો અનામત રાખવા વિનોદ રાવની તાકીદ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો