મોદી, રાષ્ટ્રપતિ, સેનાધ્યક્ષ, વિપક્ષના નેતાઓ, બિઝનેશમેન સહીત અનેક લોકોની જાસુસી કરતુ ચીન, 10,000થી વધુ લોકોની રોજબરોજની ગતિવિધિની માહિતી મેળવી રહ્યુ છે ચીન

ચાલબાજ ચીનની વરવી ભૂમિકા સામે આવી રહી છે. એક તરફ સરહદ ઉપર સૈન્યના નામે તંગદીલી સર્જી રહ્યું છે, તો બીજી તરફ ભારતના ટોચના નેતાઓ, મહાનુભવોની જાસુસી કરી રહ્યું છે. અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે, ચીનની કંપની દ્વારા, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવત, સેનાધ્યાક્ષ […]

મોદી, રાષ્ટ્રપતિ, સેનાધ્યક્ષ, વિપક્ષના નેતાઓ, બિઝનેશમેન સહીત અનેક લોકોની જાસુસી કરતુ ચીન, 10,000થી વધુ લોકોની રોજબરોજની ગતિવિધિની માહિતી મેળવી રહ્યુ છે ચીન
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:57 PM

ચાલબાજ ચીનની વરવી ભૂમિકા સામે આવી રહી છે. એક તરફ સરહદ ઉપર સૈન્યના નામે તંગદીલી સર્જી રહ્યું છે, તો બીજી તરફ ભારતના ટોચના નેતાઓ, મહાનુભવોની જાસુસી કરી રહ્યું છે.

અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે, ચીનની કંપની દ્વારા, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ, ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવત, સેનાધ્યાક્ષ નરવણે, ભારતના વિવિધ રાજકિય પક્ષોના વડાઓ, વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોની, રોજબરોજની ગતિવિધી ઉપર, સતત નજર રાખી રહ્યું હોવાનો દાવો કર્યો છે. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા, ગૌતમ અદાણી સહીતના અનેક લોકોની, જાસુસી કરવામાં આવી રહી હોવાનો, ઘટસ્ફોટ આ મીડિયા રિપોર્ટમાં કરાયો છે.

ચીન દ્વારા માત્ર રાજકીય જ નહી પરંતુ ભારતના ટોચના બિઝનેસમેન, ઉચ્ચ સ્થાને, નિર્ણાયક ભૂમિકામાં રહેલા સરકારી અધિકારીઓની પણ જાસુસી કરી રહ્યું હોવાનો ખુલાસો આ અખબારમાં કરવામાં આવ્યો છે. ભારતમાં ચીનની કંપની દ્વારા 1350 જેટલા વીવીઆઈપી સહીત કુલ 10,000 લોકોની જાસુસી કરવામાં આવી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સાયબર ક્ષેત્રના જાણકારોનું કહેવુ છે કે, ચીનની કંપની દ્વારા ભારતના જે મહાનુભવો અને ઉચ્ચ સરકારી પદાધિકારીઓની જાસુસી કરવામા આવી રહી છે તે ઘણી ગંભીર બાબત છે. ચીનની વેબસાઈટ ઉપર જાસુસી દ્વારા એકત્ર કરાયેલા ડેટા વેચાણઅર્થે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ઈમેઈલ આઈડી અને મોબાઈલ ફોન દ્વારા જાસુસી કરીને ભેગી કરાયેલી વિગતોનો પણ સમાવેશ કરાયો છે. આ બાબત તપાસનો વિષય છે.

જો કે સાયબર બાબતોના જાણકારોએ એવો ઘટસ્ફોટ પણ કર્યો છે કે, ભારતમાં જે ચીનની મોબાઈલ એપ કંપનીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. તે કંપનીઓએ આ ડેટા જાહેર કર્યો છે. અને હજુ તેમની પાસે જે ડેટા છે તેનુ તેઓ વધુ પૃથ્થકરણ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

ચીને એકઠા કરેલા ડેટાનો દુરપયોગ અવશ્ય કરવામાં આવી શકે છે. આ ડેટાના આધારે ટારગેટેડ એટેક કરે. જેને સાયબર વોરફેર કે ગોરીલા એટેક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમને 2થી 6 મહિના સતત ફોલોઅપ કરે અને તમારી રોજબરોજની ગતિવીધીઓ ઉપર ધ્યાન રાખે છે. જીઓ લોકોશેન દ્વારા તમે કયા, કયારે, કેટલા વાગે ગયા છો તે આસાનીથી જાણી શકે છે. અને તેના આધારે જાસુસી કરનારા સહેલાઈથી શિકાર બનાવી શકે છે.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">