રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત
અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ શકશે. મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી […]
અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ શકશે. મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાનની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ પણ હાજર રહ્યા. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે કોરોનાના કારણે નગરયાત્રા નીકાળી શક્યા નથી, હાઈકોર્ટે મંજૂરી ના આપી તેથી મંદિરમાં રથયાત્રા યોજાશે. અમે કર્ફ્યુ લાદવા સુધીની તૈયારી દાખવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો