AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે ? સરકાર બનતાની સાથે જ પેટ્રોલિયમ પ્રધાને કરી મોટી વાત, જાણો

નરેન્દ્ર મોદી સરકાર 3.0 ની રચના થતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જાણો હરદીપ સિંહ પુરીએ બીજું શું કહ્યું...

શું પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે ? સરકાર બનતાની સાથે જ પેટ્રોલિયમ પ્રધાને કરી મોટી વાત, જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2024 | 3:22 PM
Share

દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર ‘મોદી 3.0’ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત 72 મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે. હરદીપ સિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે, આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

અગાઉ પણ પ્રયાસો થયા છે

પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી. GST સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ GST કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.

પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં, રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવવાને કારણે તેમની આવકમાં નુકસાનનો સામનો કરવા માંગતી નથી. આ સિવાય રાજ્યોને દારૂ પરના ટેક્સમાંથી પણ મોટી આવક મળે છે.

જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાથી ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. જ્યારે, દેશભરમાં લોકોએ તેના માટે અલગ-અલગ કિંમતો ચૂકવવી પડશે નહીં.

20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક

પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, સરકારે 2030 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે તે આગામી વર્ષ એટલે કે 2025 સુધીમાં જ પૂર્ણ થવાની આશા છે. આશા છે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલિયમ સેક્ટરના PSUમાં હિસ્સો વેચવાના પક્ષમાં નથી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">