AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં ખાંડ કેમ મોંઘી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે. ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી.

દેશમાં રેકોર્ડ ઉત્પાદન છતાં ખાંડ કેમ મોંઘી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Sugar Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:17 PM
Share

છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારી ઝડપથી વધી છે. પેટ્રોલ અને ડીઝલથી લઈને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ખાંડ (Sugar) પણ મોંઘી થઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. હવે સવાલ એ થાય છે કે દેશમાં ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું છે. તો અમે તમને જણાવીએ કે ખાંડની કિંમત પાછળનું કારણ ખાંડનું ઓછું ઉત્પાદન નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં ખાંડનું વિક્રમી ઉત્પાદન થયું છે. તો પછી શું છે કારણ, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

ખાંડના ભાવમાં કેટલો વધારો થયો ?

કન્ઝ્યુમર અફેર્સ વિભાગ (Department of Consumer Affairs)ના ડેટા અનુસાર, દેશમાં 26 ઓક્ટોબર 2021 ના રોજ ખાંડની કિંમત 43 રૂપિયા પ્રતિ કિલો છે. અગાઉ 26 જુલાઈ 2021ના રોજ ખાંડની કિંમત 38 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો વધારો થયો છે. દેશમાં ખાંડના રેકોર્ડ ઉત્પાદન છતાં ભાવમાં આ વધારો થયો છે. તેનું કારણ એ છે કે ખાંડની મિલોએ મોટા પ્રમાણમાં તેની નિકાસ કરી છે.

સુગર મિલોએ કુલ 72 લાખ ટન ખાંડ વિદેશમાં મોકલી છે. આ માટે સરકારે કંપનીઓને લગભગ 8,000 કરોડની સબસિડી આપી છે. આ સબસિડી મિલોને વિદેશમાં ખાંડની નિકાસના ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવી છે. હવે સરકારે તેના ભાવમાં વધારો કર્યો છે.

વૈશ્વિક સ્તરે પણ ખાંડ બજારમાં મુશ્કેલી

તમને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે પણ ખાંડના બજાર પર દબાણ વધી રહ્યું છે. તેમના મતે વૈશ્વિક સ્તરે ઊર્જાની અછત ખાંડના બજાર પર બોજ લાવી રહી છે. વિશ્વના ટોચના નિકાસકારો હવે વધુ શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર મહિનામાં વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ચાર વર્ષના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેનું કારણ પુરવઠામાં અછત છે. તેના કારણે મેગ્નેશિયમથી લઈને ટામેટા સુધીના કોમોડિટી માર્કેટમાં સમસ્યા સર્જાઈ છે. તેલના ભાવમાં મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રાઝિલ અને ભારત હવે શેરડી કરતાં વધુ ઇથેનોલનું ઉત્પાદન કરી રહ્યા છે.

આ પણ વાંચો: Afghanistan : રાજધાની કાબુલની હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત

આ પણ વાંચો: PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">