Afghanistan : રાજધાની કાબુલની હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. વિસ્ફોટના કારણે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.

Afghanistan : રાજધાની કાબુલની હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત
Bomb Blast In Kabul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 4:27 PM

અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં જબરદસ્ત વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો, જે સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ (Sardar Mohammad Daud Khan Hospital)ની સામે થયો હતો. ઘટનાસ્થળ પર હાજર સૂત્રોનું કહેવું છે કે ઘટના સ્થળેથી ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. વિસ્ફોટના કારણે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.

રાજધાનીમાં થયેલા વિસ્ફોટ અંગે તાલિબાન દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. તેમાંના મોટાભાગના વિસ્ફોટો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે, તાલિબાને કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ઈસ્લામિક સ્ટેટ પર કાબુ મેળવશે અને દેશમાં શાંતિ સ્થાપિત કરશે. જોકે, યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર ભાગમાં ઈસ્લામિક સ્ટેટ મજબૂત બન્યું છે. અત્યાર સુધી આ આતંકવાદી સંગઠને અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં વિસ્ફોટો કર્યા છે.

ઓગસ્ટમાં કાબુલ એરપોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કાબુલમાં સૌથી ખતરનાક વિસ્ફોટ ઓગસ્ટમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હોવાથી, દેશ છોડવા માંગતા લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર એકઠા થયા હતા. 26 ઓગસ્ટના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હુમલા અંગે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ પહેલાથી જ એરપોર્ટ પર સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી કારણ કે 31 ઓગસ્ટે લોકોને એરલિફ્ટ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી હતી.

બ્લાસ્ટની જાણકારી પહેલાથી જ આપવામાં આવી હતી

આ વિસ્ફોટ ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પહેલા કેટલાક દેશોએ તેમના લોકોને એરપોર્ટથી દૂર રહેવા કહ્યું હતું અને તેમાંથી એકે કહ્યું હતું કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની શક્યતા છે. બ્રિટિશ સરકારે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર એકઠા થયેલા લોકોને ઈસ્લામિક સ્ટેટ (IS અથવા ISIS) ના આતંકવાદીઓ દ્વારા શંકાસ્પદ હુમલાના ખૂબ જ વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો છે. જો કે આ પછી પણ હુમલા રોકી શકાયા નથી. જો કે, હુમલા પછી યુએસએ તાલિબાનને કહ્યું કે તે ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે એકસાથે આવી શકે છે, પરંતુ તાલિબાને મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી

આ પણ વાંચો: રેમ્પ પર અચાનક નીકળી ગયા ક્રાઉન અને શૂઝ, નાની બાળકીએ આ રીતે સ્વેગમાં પૂરૂ કર્યુ વોક

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">