AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનાને 2016-17 માં પ્રી પાક વીમા યોજનામાં અનેક સુધારા સાથે શરૂ કરી હતી. ખેડૂતોને પુરતો અને સમય પર લાભ મળી રહે તે માટે યોજનાના ઓપરેશનલ માર્ગદર્શિકાને ક્રમશ રવિ 2018 અને ખરીફ 2020 માં સુધારા કરવામાં આવ્યા હતા.

PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા
PMFBY (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 12:50 PM
Share

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના(PMFBY) હેઠળ ગત વર્ષની સરખામણીએ 2020-21 વર્ષ માટે ખેડૂતો(Farmers)ના પાક વીમા દાવામાં ગત વર્ષની તુલનામાં 60 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના દાવા કરવામાં આવ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર પાકનું કોઈ મોટું નુકસાન જ થયું નથી. જોકે, 2020-21 અને 2019-20 ના પાક વીમા(Crop insurance)માં નોંધવામાં આવેલા મોટાભાગના પાક વીમાના દાવાને સરકારે મંજૂરી આપી દીધી છે. પાક વીમામાં દાવા 2019-20 ના વર્ષ (જુલાઈ-જૂન)માં 27,398 કરોડ રૂપીયા હતા.

PMFBYને 2016-17 માં પ્રી પાક વીમા યોજનામાં અનેક સુધારા સાથે શરૂ કરી હતી. ખેડૂતોને પુરતો અને સમય પર લાભ મળી રહે તે માટે યોજનાના ઓપરેશનલ માર્ગદર્શિકાને ક્રમશ રવિ 2018 અને ખરીફ 2020 માં સુધારા કરવામાં આવ્યા હતા.

ખરીફ સીઝનના સૌથી વધુ દાવા

આંકડાઓ અનુસાર પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હેઠળ 612 લાખ ખેડૂતો દ્વારા લગભગ 445 લાખ હેક્ટર કૃષિ જમીનનો વીમો કરવામાં આવ્યો હતો. જેમાં 2020-21 દરમિયાન કુલ વીમા રકમ 1,93,767 કરોડ રૂપિયા હતી. જોકે, નોંધવામાં આવેલા કુલ દાવા 2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના હતા. જેમાંથી ખરીફ સીઝનમાં 6,779 કરોડ રૂપિયા જ્યારે રવી સીઝનથી 2,792 કરોડ રૂપિયાના દાવા નોંધવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, “2020-21 માટે 9,570 કરોડ રૂપિયાના દાવા ઘણા ઓછા હતા કારણ કે, ગત વર્ષની જેમ કોઈ મોટુ નુકસાન થયું નથી.”

સરકારે કહ્યું ઓછુ થયું નુકસાન

2020-21 દરમિયાન રાજસ્થાનથી વધુ પાક વીમા દાવા 3,602 કરોડ રૂપિયા મહારાષ્ટ્રમાં 1,232 કરોડ રૂપિયા અને હરિયાણામાં 1,112.8 કરોડ દાવા નોંધાયા છે. પાક વીમા વર્ષ 2019-20 દરમિયાન 613 લાખ ખેડૂતો દ્વારા પીએમએફબીઆઈ હેઠળ કુલ 2,19,226 કરોડ રૂપિયાની રકમ સાથે લગભગ 501 લાખ કરોડ હેક્ટેરનો વીમો કરવામાં આવ્યો હતો.

ખરીફ સીઝનમાં નોંધવામાં આવેલા દાવા 21,496 કરોડ રૂપિયાથી વધુ હતા જ્યારે રવી સીઝનથી પાક વર્ષ 2019-20 માટે 5,902 કરોડ રૂપિયા હતા. 2020-21 દરમિયાન મહારાષ્ટ્રથી વધુ પાક વીમાના દાવા 6,757 કરોડ રૂપિયા મધ્ય પ્રદેશમાં 5,992 કરોડ રૂપિયા અને રાજસ્થાનમાં 4,921 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે, 2019-20 માટે ખેડૂતોએ પાક વીમા દાવામાં લગભગ સમાધાન કરી દીધું છે. 1,200 કરોડ રૂપિયાની બાકી દાવાનું જલ્દી જ સમાધાન કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, 2020-21 માટે ખેડૂતોને લગભગ 6,845 કરોડ રૂપિયાના પાક વીમાના દાવાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra Farmer Suicide: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં માત્ર 30 દિવસમાં 25 ખેડૂતોએ કરી આત્મહત્યા! જાણો કેમ અને શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: Dhanteras 2021: સોનાનાં દાગીનાની ખરીદી વખતે આ 5 બાબત ઉપર ધ્યાન આપવાનું ચૂકશો નહિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">