Joshimath crisis: જોશીમઠની જમીન કેમ ધસી રહી છે? તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે

મુખ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. તે મુજબ જોશીમઠની નીચે કડક ખડક નથી અને તેથી ત્યાં જમીન ધસી રહી છે. તેમને કહ્યું કે આ કારણ છે કે જે શહેરોમાં જમીન નીચે કડક ખડક છે, ત્યાં જમીન ધસી જવાની સમસ્યા થતી નથી

Joshimath crisis: જોશીમઠની જમીન કેમ ધસી રહી છે? તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે
Joshimath collapsingImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 6:36 AM

ઉત્તરાખંડ સરકારે શુક્રવારે જણાવ્યું કે જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના એક કુદરતી આફત છે અને તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે. પ્રદેશના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ દેહરાદૂનમાં કહ્યું કે કુદરતી આફત એ છે, જે માનવસર્જિત ના હોય. તેમને કહ્યું જોશીમઠમાં જમીન ધસી જવી તેને કુદરતી આફત જ કહેવાય.

મુખ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. તે મુજબ જોશીમઠની નીચે કડક ખડક નથી અને તેથી ત્યાં જમીન ધસી રહી છે. તેમને કહ્યું કે આ કારણ છે કે જે શહેરોમાં જમીન નીચે કડક ખડક છે, ત્યાં જમીન ધસી જવાની સમસ્યા થતી નથી. સંધુએ કહ્યું કે 1976માં પણ જોશમઠમાં થોડી જમીન ધસી જવાની વાત સામે આવી હતી.

ઘણી સંસ્થાઓ તપાસમાં લાગી

તેમને કહ્યું કે જોશીમઠમાં પાણી નીકળવા વિશેની જાણકારી મેળવવા માટે અલગ અલગ સંસ્થાઓ તપાસમાં લાગી છે. સંધુએ કહ્યું કે નિષ્ણાંતો જોશીમઠમાં તમામ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલો રાજ્ય મંત્રીમંડળની સામે મુકવામાં આવશે અને તેના આધાર પર જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: ISROની સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, હવે ગમે ત્યારે ધસી શકે છે જોશીમઠ !

ઈસરો તરફથી જમીન ધસી જવા વિશે કોઈ અધિકૃત રિપોર્ટ નહીં

તેમને કહ્યું કે તમામ સંસ્થાઓને ઝડપી પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે અને તે તમામ રિપોર્ટના અભ્યાસ માટે એક સમિતિ બનાવવામાં આવશે, જે પોતાનો નિષ્કર્ષ આપશે. એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે ઈસરો તરફથી સરકારને જમીન ધસી જવા વિશે કોઈ અધિકૃત રિપોર્ટ પણ મળ્યો નથી. તેમને કહ્યું કે તમામ પહાડી વિસ્તારોના શહેરનો અભ્યાસ કરવામાં આવશે, કારણ કે ભૂસ્ખલનની સમસ્યા વધારે સામે આવે છે.

રાહત પેકેજ પ્રસ્તાવ તૈયાર

આ પહેલા ઉત્તરાખંડ મંત્રીમંડળે શુક્રવારે જોશીમઠના ભૂસ્ખલનથી પ્રભાવિત થયેલા લોકોને સહાયતા રકમ ઉપલબ્ધ કરાવવા માટે એક અઠવાડિયાની અંદર રાહત પેકેજ પ્રસ્તાવ તૈયાર કરી કેન્દ્રને મોકલવા અને તેમને ભાડાના મકાન માટે આપવામાં આવતી રકમ વધારીને 5 હજાર રૂપિયા પ્રતિ માસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત સિંહાએ જણાવ્યું કે જિલ્લા-સ્તરીય સમિતિ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ ભૂસ્ખલનથી પ્રભાવિત ઈમારતોને સહાય પૂરી પાડવા માટે એક સપ્તાહની અંદર પેકેજ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">