AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP હાઈકમાન્ડ કેમ નારાજ છે શિવરાજ ચૌહાણથી, જાણો કેમ કરાયા સાઈડ લાઈન !

ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ શિવરાજસિંહ ચૌહાણથી નારાજ છે. શું આ જ કારણ છે કે તેમણે જાહેર સભામાં લોકોને કહ્યું કે, જો હું જતો રહ્યો તો મને ખૂબ યાદ કરશો ? તેમના નિવેદનની મધ્યપ્રદેશ રાજ્યમાં ભારે ચર્ચા થઈ રહી છે.

BJP હાઈકમાન્ડ કેમ નારાજ છે શિવરાજ ચૌહાણથી, જાણો કેમ કરાયા સાઈડ લાઈન !
Shivraj Singh Chauhan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 6:24 PM
Share

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસાકસીભરી બનવા જઈ રહી છે. ભાજપે કેન્દ્રીય મંત્રીઓ સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ કસર બાકી નથી છોડી. તે જ સમયે, રાજ્યમાં આ સમયે સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે શું સીએમ શિવરાજ સિંહ ચૌહાણને સાઈડલાઈન કરવામાં આવ્યા છે ? આખરે, શિવરાજ સિંહ ચૌહાણ શા માટે કહી રહ્યા છે કે “જો હું જતો રહ્યો તો હું ખૂબ યાદ આવીશ”?

તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ભાજપ તેમને સાઈડલાઈન કરી રહ્યું છે. રાજકીય ચિત્ર પણ એવું જ દેખાઈ રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે શિવરાજસિંહને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે, આ પુરાવા બધું જ કહી રહ્યા છે.

શિવરાજ સિંહ કેવી રીતે સાઇડલાઇન થયા?

  • પોતાના ગૃહ જિલ્લા સિહોરમાં એક જાહેર સભામાં શિવરાજે કહ્યું કે એવો ભાઈ નહીં મળે, જ્યારે હું જતો રહીશ ત્યારે યાદ કરશો.
  • શિવરાજસિંહને ભાજપની જન આશીર્વાદ યાત્રાનો ચહેરો બનાવવામાં આવ્યા ન હતા. અગાઉ તેઓ પોતે જ રથ લઈને નીકળતા હતા.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરવા ના આવ્યા. ના તો વર્ચ્યુઅલ રીતે જોડાયા, ના તો વીડિયો સંદેશા મોકલ્યા કે ના તો ટ્વિટ કર્યું.
  • ભોપાલની જાહેર સભામાં પોતાના 51 મિનિટના ભાષણમાં વડાપ્રધાન મોદીએ શિવરાજનું નામ સુદ્ધાં લીધું ન હતું.
  • ભાજપની બીજી યાદી બહાર આવ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણે તમામ અધિકારીઓ સાથે વિદાય બેઠક યોજી છે.

આજે જ્યારે કમલનાથને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જનતા તેમના જુઠ્ઠાણા અને તેમની ખોટી જાહેરાતોને જાણી ચૂકી છે.

હવે અમે તમને એ પણ જણાવીએ કે શું કારણ છે કે, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણથી આટલું નારાજ છે.

આ પાંચ કારણો પણ સમજો

  1. સંગઠન પર સરકારનું વર્ચસ્વ ચાલુ રહ્યું, સંગઠન દ્વારા જે પણ નિર્ણયો લેવાયા તે સરકારે લેવાનું શરૂ કર્યું. ભાજપના પ્રદેશ પ્રમુખની અવગણના કરવામાં આવી હતી.
  2. રાજ્યમાં અમલદારશાહીનું વર્ચસ્વ રહ્યું. કેટલાક ખાસ અધિકારીઓના ભરોસે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
  3. જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા પછી, તેમના સમર્થકોને પ્રધાનોને ભાજપમાં ભેળવી શક્યા ન હતા.
  4. પીએમ મોદીની સમાંતર ઊભા રહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ આવાસ યોજનાની જેમ લાડલી આવાસ યોજના લાવવામાં આવી.
  5. શિવરાજે એમપીમાં કોઈ નવું નેતૃત્વ ઉભરવા દીધું નથી.

આ જ કારણો છે જેના કારણે કેન્દ્રીય નેતૃત્વ શિવરાજથી નારાજ છે. હાલમાં મધ્યપ્રદેશમાં એક સ્લોગન પણ ચર્ચામાં છે. ‘નારાજ ભાજપ, મહારાજ ભાજપ અને શિવરાજ ભાજપ’. શિવરાજ સિંહ ચૌહાણના વાયરલ વીડિયોના સવાલ પર પ્રહલાદ પટેલે કહ્યું કે મેં વીડિયો જોયો નથી, તેમને પૂછો કે તેણે આવું કેમ કહ્યું? સાઇડ લાઇનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, આટલું નકારાત્મક હોવું યોગ્ય નથી. એકંદરે, મધ્યપ્રદેશની રાજનીતિમાં આશ્ચર્યજનક શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">