AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં આટલી બધી ભાષાઓ કેમ? વસ્તીગણતરીના આંકડા અને ભૂગોળ પાછળ છુપાયેલી અનોખી વાર્તા

એક જ દેશ અને એક જ સવાલના 20,000 જવાબો... વિચારો જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે, ભારતમાં બસ થોડીક જ ભાષાઓ છે, ત્યારે વસ્તીગણતરીના એક જ ફોર્મે અધિકારીઓના પણ હોશ ઉડાવી દીધા. આખરે એવું તો શું છે, ભારતના ભૂગોળ, તેના સદીઓ જૂના ઇતિહાસ અને આઝાદી પછી લેવાયેલા એક ગુપ્ત દાવમાં... જેણે આ દેશને ટુકડા થવાથી બચાવ્યો અને આજે પણ દરેક સીમા પાર કરતા જ અવાજ બદલી નાખે છે?

ભારતમાં આટલી બધી ભાષાઓ કેમ? વસ્તીગણતરીના આંકડા અને ભૂગોળ પાછળ છુપાયેલી અનોખી વાર્તા
Image Credit source: AI Generated
Santosh Nair
| Edited By: | Updated on: Sep 16, 2026 | 2:42 PM
Share

ભારતમાં જોવા મળતી ભાષાકીય વિવિધતા પાછળ ભૂગોળ, હજારો વર્ષોનો સમૃદ્ધ ઇતિહાસ અને સ્વતંત્રતા પછી લેવાયેલા મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોનો સંગમ છે. ભારતમાં બોલાતી હજારો બોલીઓ, બંધારણીય ભાષાઓ અને ભાષા આધારિત રાજ્યોની રચના જેવા વિવિધ પાસાઓ દ્વારા દેશની સાંસ્કૃતિક એકતા અને વિવિધતાની ઊંડી સમજ પૂરી પાડે છે.

ભારતમાં જ્યારે છેલ્લી વાર વસ્તીગણતરી થઈ હતી, ત્યારે એક સરળ સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે, તમે ઘરે કઈ ભાષા બોલો છો? હવે આના જવાબમાં 19,569 અલગ-અલગ જવાબો મળ્યા.

1,369 માતૃભાષાઓ બચી

19,569 લોકો નહીં પરંતુ માતૃભાષા માટે 19,569 (જેમ કે બોલીઓ, પ્રાદેશિક રૂપો, અને ગામડાના સ્તરે લોકો ઘરે જે રીતે વાત કરે છે, તે જણાવવાની રીતો) અલગ-અલગ નામો મળ્યા. વસ્તીગણતરીના અધિકારીઓએ તે યાદીને વર્ગીકૃત કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા. તેમણે એ શોધી કાઢ્યું કે, કઈ ખરેખર અલગ ભાષાઓ હતી અને કઈ અસલમાં એક જ ભાષા હતી, જેમને બસ અલગ-અલગ સ્થાનિક નામોથી ઓળખવામાં આવતી હતી. આ વર્ગીકરણ જ્યારે પૂર્ણ થયું, તો તેમની પાસે 1,369 એવી માતૃભાષાઓ બચી, જેમને અલગથી ગણી શકાતી હતી. તેમને 121 ભાષાઓના સમૂહોમાં વહેંચવામાં આવી, જેમાંથી દરેક ભાષા ઓછામાં ઓછા 10,000 લોકો બોલતા હતા.

આમાં એક દેશ, એક વસ્તીગણતરી ફોર્મ અને એક જ સવાલના જવાબ આપવાની લગભગ વીસ હજાર રીતો હતી. કોઈ સ્પષ્ટતા પર પહોંચતા પહેલા, જરા આ વાત પર વિચાર કરો.

100માંથી 97 ભારતીયોની માતૃભાષા

આ 121 ભાષાઓમાંથી 22 ભાષાઓને ખાસ બંધારણીય દરજ્જો મળેલો છે. આ ભાષાઓ બંધારણની આઠમી અનુસૂચિમાં જોડાયેલ છે અને કુલ મળીને, દર 100માંથી લગભગ 97 ભારતીયોની માતૃભાષા આ જ છે. આમાં હિન્દી સૌથી મોટી ભાષા છે, જેને દેશની લગભગ 44 ટકા વસ્તી ઘરોમાં બોલે છે અને તે મુખ્યત્વે ઉત્તર ભારતમાં બોલાય છે.

બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ઉર્દૂ, ગુજરાતી અને કન્નડ… આ બધી ભાષાઓ બોલનારા કરોડો લોકો છે. ત્યારબાદ સંસ્કૃત છે, જે તે 22 અનુસૂચિત ભાષાઓમાંથી એક છે. એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશમાં માત્ર 25,000 લોકો જ તેને પોતાની માતૃભાષા જણાવે છે. આ રોજિંદી વાતચીતને બદલે મોટાભાગે ધાર્મિક અનુષ્ઠાનો અને ધર્મગ્રંથોમાં જ વપરાય છે.

એક વાત જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરે છે, તે એ છે કે ભારતની કોઈ પણ “રાષ્ટ્રીય ભાષા” બંધારણીય રીતે જાહેર કરવામાં આવી નથી. હિન્દી અને અંગ્રેજી કેન્દ્ર સરકારની બે સત્તાવાર (ઓફિશિયલ) ભાષાઓ છે, જેનો ઉપયોગ સરકાર પોતાનું કામકાજ ચલાવવા માટે કરે છે. આ વાત એક અબજથી વધુ લોકોની “મુખ્ય” ભાષા જાહેર કરવા કરતાં બિલકુલ અલગ છે અને બંધારણ જાણીજોઈને એવો કોઈ દાવો કરતું નથી.

કોઈ દેશ આવી સ્થિતિમાં કેમ પહોંચી જાય છે?

કહેવા ખાતર કહીએ તો, તેનું એક કારણ ભૂગોળ છે. ભારતનો વિકાસ કોઈ એક જગ્યાએથી અંદરની તરફ નથી થયો, જેવો કે કેટલાક દેશોના કિસ્સામાં થયો હતો. તેનો વિકાસ એકસાથે ઘણી જગ્યાઓએથી થયો. નદીઓની ખીણો, સમુદ્ર કિનારાઓ, પહાડી ઘાટો અને ઉચ્ચપ્રદેશોમાંથી તેમજ લોકોના દરેક સમૂહે સદીઓ સુધી અલગ-અલગ રહીને પોતાની ભાષા વિકસાવી. તે પહેલાં કે રસ્તાઓ, રેલવે કે રેડિયો તેમને એકબીજા સાથે જોડી શકતા.

આમ સમજીએ તો, આ ઇતિહાસ પર ‘ઇતિહાસના પડ’ જામવા જેવું છે. સંસ્કૃતમાંથી નીકળેલી ભાષાઓ ઉત્તર અને પશ્ચિમથી ફેલાઈ. દક્ષિણમાં દ્રવિડ ભાષાઓએ પોતાનું સ્થાન બનાવ્યું; તે વિસ્તારમાં આ ભાષાઓ સંસ્કૃતથી પણ જૂની હતી. વેપારીઓ, આક્રમણકારો, મિશનરીઓ અને સ્થળાંતર કરનારાઓએ ફારસી, અરબી, પોર્ટુગીઝ અને અંગ્રેજી શબ્દો ઉમેર્યા અને કેટલીક જગ્યાએ તો બિલકુલ નવી ભાષાઓ પણ આવી. આ કોઈએ જાણીજોઈને બનાવ્યું નથી. આ તો બસ સમય જતાં ઉમેરાતું ગયું, ઠીક તેવી જ રીતે જેમ કોઈ નદી પોતાના રસ્તામાં આવતા દરેક કિનારેથી કાંપ કે માટી જમા કરતી ચાલે છે.

આ એક એવો નિર્ણય છે, જે ભારતે આઝાદી પછી પોતાના માટે લીધો હતો. વર્ષ 1956માં જ્યારે દેશે પોતાના રાજ્યોની આંતરિક સીમાઓ ફરીથી નક્કી કરી, તો એવું મોટાભાગે ભાષાના આધારે કરવામાં આવ્યું. તેલુગુ બોલનારાઓને તેલુગુ ભાષાવાળું રાજ્ય મળ્યું અને તમિલ બોલનારાઓને તમિલ ભાષાવાળું રાજ્ય મળ્યું. આ કોઈ સામાન્ય વહીવટી ફેરફાર નહોતો.

આ એક એવો દાવ હતો. આની પાછળ એ વિચાર હતો કે, લોકો તે રાજ્યમાં વધુ સહજ અનુભવશે અને વધુ સારી રીતે પોતાનું શાસન ચલાવી શકશે; જ્યાં તેમની પોતાની ભાષા બોલાતી હોય. ઘણા દાયકાઓ પછી મોટાભાગના ભાષા-નિષ્ણાતો આ નિર્ણયને એક મોટી સફળતા માને છે. આ જ એક મોટું કારણ છે કે, ‘ભારત’ ઘણા બધા વસ્તી ધરાવતા અને વિવિધ ભાષાઓવાળા બીજા દેશોથી વિપરીત, ભાષાના તફાવતને દેશના ભાગલાની માંગમાં બદલાવાથી મોટાભાગે બચાવી શક્યું.

ભારતમાં ભાષાનો મુદ્દો સરળ

એનો અર્થ એ નથી કે, ભારતમાં ભાષાનો મુદ્દો સરળ છે. દર થોડા વર્ષોમાં એ વાત પર નવી ચર્ચા છેડાઈ જાય છે કે, ચેન્નાઈ કે કોહિમાના બાળકે સ્કૂલમાં કેટલી હિન્દી શીખવી જોઈએ, સરકારી નોકરી માટે અંગ્રેજીને કેટલું મહત્વ મળવું જોઈએ કે હિન્દી-પ્રધાન રાષ્ટ્રીય ચર્ચામાં કોઈ રાજ્યની પોતાની ભાષાને યોગ્ય મહત્વ મળી રહ્યું છે કે નહીં? આ વાસ્તવિક અને તાજા વિવાદો છે, કોઈ ઉકેલાયેલો જૂનો મામલો નથી અને કોઈ એક લેખ તેમને ઉકેલી પણ ન શકે.

આગામી વખતે જ્યારે આ ચર્ચા છેડાશે, તો આ આંકડા કેટેગરી કે સંદર્ભ આપી શકે છે. યુરોપના કદ ધરાવતા વિસ્તારમાં એક અબજથી વધુ લોકો 121 ભાષાઓ બોલે છે, જેમાંથી 22ને બંધારણ તરફથી સુરક્ષા મળેલી છે. આવા દેશ માટે કોઈ એક એવો ઉકેલ શોધવો ક્યારેય શક્ય નહોતો, જે બધાને એકસરખી રીતે સંતુષ્ટ કરી શકે.

અસલી સવાલ શું છે?

સવાલ એ ક્યારેય નહોતો કે, ભારતમાં ભાષાની સમસ્યા હશે કે નહીં. આ સમસ્યા તો થવાની જ હતી. અસલી સવાલ એ છે કે, શું ભારત આ સમસ્યાને અત્યાર સુધીની જેમ એટલે કે જબરદસ્તીને બદલે વાતચીત, સંઘીય કરારો અને આ જ તણાવને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી રાજ્યની સીમાઓ દ્વારા ઉકેલતું રહી શકે છે?

આગામી વખતે જ્યારે તમે ટ્રેનમાં લાંબી મુસાફરી કરી રહ્યા હોવ અને ટ્રેન કોઈ રાજ્યની સીમા પાર કરે કે તરત જ એનાઉન્સમેન્ટની ભાષા બદલાઈ જાય, તો જરા એક ક્ષણ માટે તેને જરૂર સાંભળો. ભાષામાં આ ફેરફાર કોઈ મુંઝવણ નથી. આ એ દેશનો અવાજ છે, જે ચૂપચાપ એકબીજા માટે જગ્યા બનાવતા રહેવા પર સહમત થઈ રહ્યો છે.

તમે સરકારને પૈસા આપો છો, પણ ખબર છે આ પૈસા ક્યાં જાય છે?

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
g clip-path="url(#clip0_868_265)">