AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો? 15 દિવસ બાદ પણ પોલીસને નથી મળ્યો જવાબ

ગોવા પોલીસ (Goa Police) લગભગ 15 દિવસથી કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સોનાલી સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો? 15 દિવસ બાદ પણ પોલીસને નથી મળ્યો જવાબ
Sonali Phogat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 12:50 PM
Share

હરિયાણા બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) શંકાસ્પદ મોતના મામલામાં ગોવા પોલીસ (Goa Police) લગભગ 15 દિવસથી કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સોનાલી સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પછી પણ પોલીસ સોનાલીની હત્યા પાછળનું કારણ જાણી શકી નથી. એવી અટકળો હતી કે સોનાલીની હત્યા પાછળ આર્થિક કારણ અથવા તેણીની રાજકીય કારકિર્દી હશે, પરંતુ હાલ આ મામલે શંકા છે.

ગોવાના માપુસાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે શનિવારે સુધીર સાંગવાન અને હત્યાના મુખ્ય આરોપી સુખવિંદર સિંહને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જણાવી દઈએ કે સોનાલીને 23 ઓગસ્ટના રોજ ગોવાના અંજુનામાં એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં હોસ્પિટલે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ અંગત વિગતો પણ ચકાસી રહી છે

મંગળવારે પોલીસે જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી માટે આરોપીને બે દિવસની કસ્ટડીમાં રાખ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ફોગાટની અંગત ડાયરી અને દસ્તાવેજો જોઈ રહ્યા છીએ પરંતુ અમે એ નિષ્કર્ષ કાઢવામાં સક્ષમ નથી કે હત્યાનું કારણ આર્થિક લાભ હતું કે પછી તેની રાજકીય કારકિર્દીનો અંત લાવવાનો હતો.

ગોવા પોલીસે લગભગ એક અઠવાડિયા સુધી હરિયાણામાં રહીને ફોગાટના ઘરેથી 5 અંગત ડાયરી અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એટલું જ નહીં પોલીસે સોનાલીના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. પોલીસે સોનાલીના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ ડાઉનલોડ કરી લીધા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાનું ચાલુ રાખીશું અને તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

આર્થિક કારણો પર શંકાની સોય

સોનાલીના ભાઈએ હત્યા કેસની સીબીઆઈ (CBI) તપાસની માગ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે સોનાલીની હત્યા તેની સંપત્તિ હડપ કરવા, નાણાકીય સંપત્તિ લેવા અને તેની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે કરવામાં આવી હતી. શરૂઆતમાં, ગોવા પોલીસે આ કેસમાં અકુદરતી કારણોસર મૃત્યુનો મામલો ફાઈલ કર્યો હતો. બાદમાં હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગોવાના પોલીસ મહાનિરીક્ષક ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે હાલમાં તપાસના આધારે આર્થિક કારણોસર હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">