શું છે સરબત ખાલસા, જેની આડમાં અમૃતપાલ સિંહ બચવાનો કરે છે પ્રયાસ

કાયદાને લપેટમાં લેવા અને પંજાબના લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમૃતપાલ સિંહ અવનવી યુક્તિઓ અજમાવી રહ્યો છે. જ્યારે પણ તે વીડિયો રિલીઝ કરે છે, ત્યારે તે શરણાગતિ માટેની શરતો નક્કી કરે છે. હવે તેણે શીખોને ઉશ્કેરવાનો નવો પેતરો રચ્યો છે.

શું છે સરબત ખાલસા, જેની આડમાં અમૃતપાલ સિંહ બચવાનો કરે છે પ્રયાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 9:14 AM

પંજાબની કાયદો અને વ્યવસ્થા માટે પડકાર બની ગયેલા અમૃતપાલ સિંહ છેલ્લા 14 દિવસથી પોલીસ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. હવે અમૃતપાલ સિંહે સરબત ખાલસા બોલાવવા માટે નવો દાવ ખેલ્યો છે. સુરક્ષા એજન્સીઓ તેને પંજાબથી માંડીને નેપાળ સુધી શોધવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે હજુ સુધી પકડાયો નથી. જ્યાં પણ અમૃતપાલની હાજરીની માહિતી મળે છે, પોલીસ તરત જ ત્યાં દરોડા પાડી દે છે. પરંતુ પોલીસને સતત નિષ્ફળતા મળી રહી છે. આ દરમિયાન અમૃતપાલ સિંહનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને વીડિયોમાં કરેલ સંબોધન પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે.

વાસ્તવમાં અમૃતપાલ સિંહે પોતાના વીડિયોમાં, સરબત ખાલસા બોલાવવાની માંગ કરી છે. આખરે આ સરબત ખાલસા શું છે અને તેનું મહત્વ શું છે અને તેને બોલાવવાની માંગ શા માટે છે? ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ.

લેટેસ્ટ વીડિયોમાં અમૃત પાલે શું કહ્યું?

અમૃતપાલ સિંહના આ નિવેદનને સમજવા માટે સૌથી પહેલા જાણી લો કે, તેણે લેટેસ્ટ વીડિયોમાં શું કહ્યું? તેણે કહ્યું- હું ધરપકડથી ડરતો નથી. મારી ધરપકડ અંગે સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. જો તે ઈચ્છતી હોત તો પોલીસ અમારા ઘરે આવી શકતી હતી. એટલે કે તેમણે સુરક્ષા એજન્સીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચોઃ Amritpal Singh Audio: ભાગેડું અમૃતપાલ સિંહે વીડિયો કલીપ બાદ આ ઓડિયો જાહેર કરીને કર્યો આવો દાવો

આ વીડિયોમાં તેણે દેશ-વિદેશમાં રહેતા શીખ સમુદાયને કહ્યું છે કે હવે બધાએ સાથે મળીને સરકારી અન્યાય સામે લડવું પડશે. સરકારે આપણા સમાજની મહિલાઓ અને બાળકો પર ઘણો જુલમ ગુજાર્યો છે. આપણે આ સમજવું પડશે. જથેદારે આ મુદ્દાને ગંભીરતાથી સમજીને સરબત ખાલસા બોલાવવો જોઈએ.

શા માટે અમૃતપાલે સરબત ખાલસા બોલાવવાની માંગ કરી?

સરબત ખાલસાને શીખોનો મેળાવડો કહેવામાં આવે છે. જેમાં શીખ સમુદાય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. તેની શરૂઆત સોળમી સદીમાં જ થઈ હતી. વર્ષોથી શીખ સમુદાય વર્ષમાં બે વખત સરબત ખાલસામાં ભાગ લે છે. જો કે, 19મી સદીમાં મહારાજા રણજીત સિંહે આ પરંપરાને નાબૂદ કરી દીધી હતી.

લગભગ બેસો વર્ષ પછી, 1986 માં, ફરીથી સુવર્ણ મંદિરમાં સરબત ખાલસા બોલાવવામાં આવી. આ એ સમય હતો જ્યારે પંજાબમાં ખાલિસ્તાનની માંગ ચરમસીમાએ હતી અને ચારે બાજુ અશાંતિ ફેલાઈ હતી. આ સમય દરમિયાન શીખોના શાસનની માંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં અન્ય દેશોના શીખો પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ SGPCએ ફરાર અમૃતપાલ પર કહ્યું કે શીખોને બદનામ કરવાનું ષડયંત્ર, પંજાબનું વાતાવરણ બગાડી રહી છે સરકાર…

સમજી શકાય છે કે, અમૃતપાલ સિંહ પંજાબમાં ફરી એ જ માહોલ બનાવવા માંગે છે, જે હેતુ માટે 1986માં સુવર્ણ મંદિરમાં સરબસ ખાલસા બોલાવવામાં આવી હતી. પંજાબના શીખોનો હીરો બનવા માટે તે ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ધર્મના નામે તે જથેદારને ભડકાવી રહ્યા છે.

સરબત ખાલસા કોણ બોલાવી શકે ?

સરબત ખાલસા પંજાબના શીખોમાં જૂની પરંપરાનો એક ભાગ છે. પરંતુ તેના સંગઠનને લઈને વિવાદો ઓછા થયા નથી. જો કે, નિષ્ણાતોના મતે, માત્ર અકાલ તખ્તને જ સરબત ખાલસા બોલાવવાનો અધિકાર છે, જેનું નેતૃત્વ જથેદાર કરે છે. પરંતુ મોટો સવાલ એ છે કે, અમૃતપાલના વીડિયો મેસેજના આધારે શું અકાલ તખ્તના જથેદાર સરબત ખાસલા બોલાવી શકે છે?

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">