પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યું, પક્ષના કાર્યકરો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો

સાંસદોના આ જૂથે બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓને થતી હેરાનગતિ વિશે માહિતી આપી અને કહ્યું કે હજુ સુધી તેમાં કોઈ ઘટાડો થયો નથી. આ સાથે તેના નિવારણ માટે પગલા ભરવા માગ કરી હતી.

પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યું, પક્ષના કાર્યકરો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો
Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:30 PM

પશ્ચિમ બંગાળના ભાજપના (West Bengal BJP) સાંસદોએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળને લઈને ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. બંગાળના ભાજપના 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદીને બંગાળ આવવા વિનંતી કરી છે. સાંસદોએ પીએમ મોદીને બંગાળમાં ભાજપના કાર્યકરો અને નેતાઓની સતત હેરાનગતિ વિશે પણ વાકેફ કર્યા છે.

આ ઉપરાંત, સાંસદોએ પશ્ચિમ બંગાળમાં CAAના વહેલા અમલીકરણની જરૂરિયાત પર વિનંતી કરી. ટીમના સભ્યોએ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં રાજ્ય સરકાર દ્વારા જે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે તેની પણ માહિતી આપી હતી.

પીએમ મોદીએ ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાની ખાતરી આપી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન સાંસદોએ પંચાયત અને ગ્રામ્ય સ્તરે લાગુ થનારી યોજનાઓમાં  (Government Schemes) ભાજપના સમર્થકોની ઉપેક્ષા વિશે પણ જણાવ્યું હતું. વડાપ્રધાને ભાજપના સાંસદોના આ જૂથને તેમની વ્યસ્તતાને કારણે બંગાળનું શેડ્યૂલ ન બનાવી શકવાની તેમની મજબૂરી કહી, પણ ખાતરી આપી કે તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં તેમના કાર્યક્રમનું આયોજન કરશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ચૂંટણી બાદ પણ હિંસામાં ઘટાડો ન થયો સાંસદોના આ જૂથે બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓને થતી હેરાનગતિ વિશે માહિતી આપી અને કહ્યું કે હજુ સુધી તેમાં કોઈ ઘટાડો થયો નથી. આ સાથે તેના નિવારણ માટે પગલા ભરવા માગ કરી હતી. સાંસદોએ પશ્ચિમ બંગાળને લઈને પીએમ મોદીને એક પત્ર પણ સુપરત કર્યો.

આ અંગે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા બંગાળ બીજેપીના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે 2 સાંસદોને બાદ કરતાં લગભગ તમામ બંગાળના સાંસદો પીએમ મોદીને મળ્યા હતા. અમે તેમને કહ્યું છે કે ચૂંટણી પછી હિંસામાં કોઈ ઘટાડો થયો નથી, હિંસા ચાલુ છે. બંગાળમાં ભરતીમાં સતત હેરાફેરી થઈ રહી છે. અમે માગ કરી હતી કે CAAનો કાયદો ઘડ્યા પછી, તેને રાજ્યમાં વહેલી તકે લાગુ કરવામાં આવે.

આ પણ વાંચો : ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે: ઝાંસીમાં ‘વિજય રથયાત્રા’ દરમિયાન અખિલેશ યાદવનો પ્રહાર

આ પણ વાંચો : ‘અમે કહ્યું નહોતું કે દિલ્હી સરકારે સ્કૂલ બંધ કરવી જોઈએ’, સુપ્રીમ કોર્ટે આપી સ્પષ્ટતા, કહ્યું સુપ્રીમ કોર્ટને વિલન તરીકે રજૂ કરવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">