AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે: ઝાંસીમાં ‘વિજય રથયાત્રા’ દરમિયાન અખિલેશ યાદવનો પ્રહાર

ભાજપ સરકાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં યુવાનો, ખેડૂતો અને વેપારીઓએ યોગી સરકારથી છુટકારો મેળવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવાથી અહીંના ખેડૂતોને ફાયદો થશે.

ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે: ઝાંસીમાં 'વિજય રથયાત્રા' દરમિયાન અખિલેશ યાદવનો પ્રહાર
Akhilesh Yadav
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:09 PM
Share

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) નજીક આવતા જ સપાએ (SP) સત્તામાં પાછા ફરવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. અખિલેશ યાદવ (Akhilesh Yadav) સતત સમાજવાદી વિજય રથયાત્રા કાઢી રહ્યા છે. અખિલેશ યાદવે આજે ઝાંસીમાં રથયાત્રા કાઢી હતી. આ દરમિયાન તેમણે યુપીની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સપા અધ્યક્ષે ટોણો માર્યો કે યોગી સરકારે માત્ર જગ્યાઓના નામ બદલ્યા છે. તેમણે કહ્યું કે યુપીમાં બહુ જલ્દી લોકો તેમની સરકાર બદલવાના છે.

ભાજપ (BJP) સરકાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં યુવાનો, ખેડૂતો અને વેપારીઓએ યોગી સરકારથી છુટકારો મેળવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવાથી અહીંના ખેડૂતોને (Farmers) ફાયદો થશે. અખિલેશ યાદવે યોગી સરકારને (Yogi Government) ઘેરી હતી અને કહ્યું હતું કે જો સરકારે પોતાનો વાયદો પૂરો કર્યો હોત તો લોકડાઉનમાં જનતા અને યુવાનોને મુશ્કેલી ન વેઠવી પડી હોત.

તેમણે કહ્યું કે સરકારે લેપટોપ, મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું. તેમણે ટોણો માર્યો કે આ લોકો જનતાને લેપટોપ (Laptop) કેમ આપશે. સપા પ્રમુખે સીએમ યોગી પર નિશાન સાધતા કહ્યું કે, આપણા મુખ્યમંત્રીને લેપટોપ કેવી રીતે ઓપરેટ કરવું તે પણ નથી આવડતું, જો તેઓ જાણતા હોત તો તેનું મહત્વ સમજી શક્યા હોત.

નકલી એન્કાઉન્ટરમાં યુપી સરકારને સૌથી વધુ નોટિસ અખિલેશ યાદવે મહિલાઓ સાથે થતા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારના આંકડાઓ જણાવે કે ભારતમાં મહિલાઓ અને દીકરીઓ સાથે સૌથી વધુ અન્યાય ક્યાં થાય છે. તેમણે કહ્યું કે નકલી એન્કાઉન્ટરમાં જો કોઈ સરકારને સૌથી વધુ નોટિસ મળી હોય તો તે ઉત્તર પ્રદેશ સરકાર છે. તમને જણાવી દઈએ કે જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ સપા-ભાજપ વધુને વધુ આક્રમક બની રહ્યા છે.

ઝાંસીમાં એસપીની ‘વિજય રથયાત્રા’ ચૂંટણીની મોસમમાં સપા લોકો સુધી પહોંચવા માટે વિજય રથયાત્રા કાઢી રહી છે. અખિલેશ યાદવની વિજય રથયાત્રા આજે ઝાંસી પહોંચી હતી. આ દરમિયાન તેમણે યુપીની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે સીએમ યોગી પર અંગત પ્રહાર કરતા કહ્યું કે તેમને લેપટોપ કેવી રીતે ઓપરેટ કરવું તે આવડતું નથી, તેથી જ તેઓ તેનું મહત્વ નથી સમજતા.

આ પણ વાંચો : આખરે ભારત માટે જીનોમ સિક્વન્સ વધારવું શા માટે મહત્વનું છે? બેદરકારી દેખાડી તો મોટી મુશ્કેલી નોંતરવા બરાબર

આ પણ વાંચો : ‘અમે કહ્યું નહોતું કે દિલ્હી સરકારે સ્કૂલ બંધ કરવી જોઈએ’, સુપ્રીમ કોર્ટે આપી સ્પષ્ટતા, કહ્યું સુપ્રીમ કોર્ટને વિલન તરીકે રજૂ કરવામાં આવી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">