AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ

roorkee violence : પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રા દરમિયાન ઘરોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે તણાવને જોતા વધારાનો પોલીસ ફોર્સ તહેનાત કરાયો છે.

Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ
Violence in Roorkee (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 7:20 AM
Share

હનુમાન જન્મમહોત્સવના (Hanuman jayanti) દિવસે દેશની રાજધાની નવી દિલ્લીમા જ નહીં પરંતુ ઉત્તરાખંડના રૂરકીમાં (roorkee violence) પણ શોભાયાત્રા (Shobhayatra) દરમિયાન પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. રૂરકીના ભગવાનપુર વિસ્તારમાં થયેલા તોફાનમાં મંદવાર ચોકીના ઈન્ચાર્જ સહિત કુલ 10 લોકો ઘાયલ થયા છે. તોફાનીઓએ અનેક વાહનોમાં તોડફોડ કરી અને બે વાહનને આગ ચાંપી દીધી. માહિતી મળતા જ ભગવાનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને પક્ષે તણાવ યથાવત છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હનુમાન જન્મમહોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. દાદા પટ્ટીથી લગભગ આઠ વાગ્યે સરઘસ દાદા જલાલપોર ગામ પહોંચતા જ એક ઘરની છત પરથી પથ્થરમારો શરૂ થયો હતો. આ પછી અન્ય ઘરો ઉપરથી પણ પથ્થરમારો શરૂ થયો. જેના પગલે સ્થળ પર શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી જેમાં શોભાયાત્રામાં સાથે રહેલા મંદવાર ચોકીના ઈન્ચાર્જ આશિષ નેગી ઉપરાંત 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

ગામમાં તણાવ પ્રવર્તે છે. આને જોતા સીઓ મેંગલોર પંકજ ગેરોલા સહિત ઝાબરેડા અને બગાવાલા પોલીસ સ્ટેશનથી પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બંને બાજુના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે. વિવાદનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના માટે બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક યોગેન્દ્ર સિંહ રાવતનું કહેવું છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દળો અને જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનના પીએસી ગામમાં તહેનાત કરવામાં આવ્યા છે.

એસપી પ્રમેન્દ્ર ડોબાલે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન ઘરોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરવામાં આવી છે. લોકો સાથે વાત કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે તણાવને જોતા વધારાનો પોલીસ ફોર્સ અને પીએસી તહેનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Jahangirpuri violence: જહાંગીરપુરી હિંસા કેસમાં કડક કાર્યવાહીના આદેશ, છ શકમંદોની ઓળખ, ઘાયલ પોલીસના નિવેદન પણ નોંધાશે

આ પણ વાંચોઃ

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સતત છઠ્ઠી હારને લઈને રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">