Video : વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વિશ્વના મહાન ડિપ્લોમેટ હતા

વિશ્વના સૌથી મોટા ડિપ્લોમેટ કોણ હતા આ વાતનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મહાભારત અને રામાયણના સંદર્ભને સામે રાખીને હિન્દીમાં રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે સૌથી મહાન ડિપ્લોમેટ ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Video : વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી વિશ્વના મહાન ડિપ્લોમેટ હતા
S. Jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 10:32 PM

વિશ્વના સૌથી મોટા ડિપ્લોમેટ કોણ હતા આ વાતનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મહાભારત અને રામાયણનો સંદર્ભ ટાંકીને  રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે  વિશ્વના  સૌથી મહાન ડિપ્લોમેટ ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે આપણને ઈતિહાસ અને ધાર્મિક ગ્રંથોમાંથી નવી દ્રષ્ટિ મળે છે. વાયરલ વીડિયોમાં વિદેશ મંત્રી  જણાવી રહ્યા  છે કે, ‘હું તમને ખૂબ જ ગંભીર જવાબ આપી રહ્યો છું. જો તમે તેને કૂટનીતિના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો તે કયા પદ પર હતા, તેમને શું મિશન આપવામાં આવ્યું હતું. તેમણે તે કઈ રીતે હેન્ડલ કર્યું.

ભારતમાં દરેક સવાલોના જવાબ છે

હનુમાનજીએ તેમની ચતુરાઇનો  ઉપયોગ કર્યો અને મિશનમાં પણ આગળ વધ્યા. લંકામાં સીતાજીને મળ્યા અને લંકામાં  આગ લગાડી હતી. વિદેશ મંત્રી પુણામાં પોતાના પુસ્તક ‘ ધ ઈન્ડિયા વે’ ના મરાઠી અનુવાદ ‘ ભારત માર્ગ ‘ વિમોચન પ્રસંગે પહોંચ્યા હતા. તેમણે પત્રકારોના સવાલના જવાબ કહ્યું કે લોકો વિદેશી પુસ્તકો અને લોકોનો ઉલ્લેખ કરે છે પરંતુ ભારતમાં દરેક સવાલોના જવાબ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હનુમાનજી દરેક જગ્યાએ કામ આવી શકે તેવા ડિપ્લોમેટ હતા

પુણેમાં જયશંકરે કહ્યું કે હનુમાનજી દરેક જગ્યાએ કામ આવી શકે તેવા ડિપ્લોમેટ હતા. હું તમને કહીશ કે હું આજે વિશ્વના 10 વ્યૂહાત્મક ખ્યાલોમાં મહાભારતમાંથી એક-એક ઉદાહરણ આપી શકું છું. જો તમે કહો કે બહુધ્રુવીય વિશ્વ છે, તો તે સમયે કુરુક્ષેત્રના ક્ષેત્રમાં શું થઈ રહ્યું હતું? તે સમયે ભારત બહુધ્રુવીય હતું. ત્યાં જુદા જુદા રાજ્યો હતા, દરેકને કહેવામાં આવ્યું હતું કે તમે તેમની સાથે છો, તમે મારી સાથે છો… બલરામ જેવા એકલા લોકો પણ તે સમયે હતા.

પાકિસ્તાનના નામે શિશુપાલનો ઉલ્લેખ

તેમણે કહ્યું કે આપણે કહીએ છીએ કે ગ્લોબલ વિશ્વ છે તો આ અવરોધો છે, અર્જુનની દ્વિધા શું હતી, તે અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો. તે વિચારી રહ્યો હતો કે મારા સંબંધીઓ સામે હું કેવી રીતે લડીશ. જયશંકરે કહ્યું કે ક્યારેક આપણે કહીએ છીએ કે પાકિસ્તાને જે કર્યું તે કર્યું, ચાલો આપણે વ્યૂહાત્મક ધીરજ બતાવીએ. ભગવાન કૃષ્ણએ જે રીતે શિશુપાલને હેન્ડલ કર્યા તે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે તેને 100 વખત માફ કર્યો તેની બાદ ..

ભારતમાં છેલ્લા આઠથી નવ વર્ષોમાં ઘણો મોટો ફેરફાર જોવા મળ્યો છે

જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો ચીનના મુદ્દે જાણી જોઈને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચીને વર્ષ 1962માં અમારી જમીન પર કબજો જમાવ્યો હતો, પરંતુ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે જાણે તાજેતરમાં જ આ ઘટના બની હોય . વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતમાં છેલ્લા આઠથી નવ વર્ષોમાં ઘણો મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘આત્મનિર્ભર’ બન્યા પછી દેશ અગ્રણી તાકત બનશે.

આ પણ  વાંચો : Odisha: આરોગ્ય મંત્રી નબ કિશોર દાસને ગોળી મારનાર ASIની ધરપકડ કરવામાં આવી, પોલીસ કરી રહી છે તેની પૂછપરછ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">