વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ કોમ્પ્લેક્સના સર્વેનો (Survey of Gyanvapi Masjid Complex) મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. અરજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ સર્વે પર રોક લગાવવાની માગ કરવામાં આવી છે. અરજી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે પેપર જોયા પછી જ કંઈક કહેશે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહે સુનાવણી કરી શકે છે. વારાણસીની સ્થાનિક કોર્ટે કમિશનરને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. જ્ઞાનવાપી કેસમાં વારાણસીની નીચલી અદાલતે ગુરુવારે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે.
કોર્ટે ગઈકાલે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે કમિશનરને હટાવવામાં આવશે નહીં. કોર્ટે હવે આ મામલામાં સર્વેનો રિપોર્ટ 17 મેના રોજ માંગ્યો છે. એટલું જ નહીં, નીચલી અદાલતે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે સર્વેમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વારાણસી કોર્ટ દ્વારા સર્વે કરાવવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મસ્જિદ કમિટીના વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ તેમની અરજીમાં કહ્યું કે કૃપા કરીને જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસમાં યથાસ્થિતિ પ્રદાન કરો. અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમને કહ્યું કે મને આ કેસ વિશે કોઈ જાણકારી નથી. મને પહેલા પેપર તપાસવા દો અને પછી અમે તેને લિસ્ટ કરીશું.
જ્ઞાનવાપી મસ્જિદ કમિટિ વતી આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં મસ્જિદના સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. વારાણસીની નીચલી અદાલતે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. આ સર્વેનો હેતુ મસ્જિદની અંદર શું છે તે જાણવાનો છે.
આજે, મસ્જિદ સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ સુપ્રીમ કોર્ટ પાસે માગ કરી છે કે સર્વેના આદેશને તાત્કાલિક અટકાવવામાં આવે. અહમદીએ કહ્યું કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ મુજબ, ધાર્મિક સ્થળ કાયદો, જે 1947માં હતો તેવો જ હતો અને તેમાં જે રીતે નમાજ પઢવામાં આવી રહી હતી, તેને બદલી શકાતી નથી, તેથી મસ્જિદના સર્વેક્ષણનો આદેશ યોગ્ય નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમને કહ્યું કે મેં હજુ સુધી અરજી વાંચી નથી. આ મામલો હમણાં જ મારી પાસે આવ્યો છે. તેથી, હું અરજી વાંચીને સુનાવણી કરીશ.
Published On - 2:38 pm, Fri, 13 May 22