Uttar Pradesh: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું, કહ્યું- જે લોકો આતંકનું વાતાવરણ બનાવતા હતા તેઓ આજે દેખાતા નથી

અનુરાગ ઠાકુરે (Anurag Thakur) ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) અગાઉની સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સરકાર પર માફિયારાજ અને ગુંડારાજનો આરોપ મૂક્યો હતો, જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના કામની પ્રશંસા કરી હતી.

Uttar Pradesh: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું, કહ્યું- જે લોકો આતંકનું વાતાવરણ બનાવતા હતા તેઓ આજે દેખાતા નથી
Anurag Thakur - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:13 PM

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રમતગમત અને યુવા બાબતોના પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur) ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) અગાઉની સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સરકાર પર માફિયારાજ અને ગુંડારાજનો આરોપ મૂક્યો હતો, જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના કામની પ્રશંસા કરી હતી.

શુક્રવારે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે અનુરાગ ઠાકુરે પોતાના સંબોધનમાં કહ્યું, સપા પ્રમુખ અખિલેશ યાદવની (Akhilesh Yadav) સરકારના પાંચ વર્ષના કાર્યકાળને જુઓ. એક તરફ ગુંડા રાજ હતું, માફિયા રાજ હતું અને બીજી તરફ એક પછી એક રમખાણો થયા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં યોગી આદિત્યનાથની સરકારના કાર્યકાળમાં તોફાનોનો દૂર દૂર સુધી કોઈ પત્તો નથી.

તેમણે કહ્યું, જે લોકો આતંકનું વાતાવરણ બનાવતા હતા તેઓ આજે દેખાતા નથી. જેઓ ગઈકાલ સુધી તોડફોડ કરતા હતા આજે તેમની મિલકતો પર બુલડોઝર ચાલે છે. જેઓ આતંક ફેલાવતા હતા તેઓ આજે ગાયબ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભાજપ સરકારે ગુંડારાજ, ભ્રષ્ટાચાર ખતમ કર્યો

ભાજપ સરકારે ગુંડારાજ અને ભ્રષ્ટાચાર ખતમ કર્યો સાથે માફિયાઓથી મુક્તિ અપાવવાનું કામ પણ કર્યું છે. તેણે કહ્યું, પાંચ વર્ષ પહેલા અહીંની દીકરીઓ માટે રસ્તા પર આવવું મુશ્કેલ હતું. વેપારીઓ પણ પોતાની દુકાનોને તાળા મારીને સાંજ પડતા પહેલા ઘરે જતા હતા. આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. જે ડર 2017 પહેલા દેખાતો હતો તે આજે નથી. આજે દીકરીઓ કોલેજ જઈ શકે છે અને નોકરી પર જઈ શકે છે. મહિલાઓ સુરક્ષિત છે, બિઝનેસમેન પોતાનું કામ વધારી શકે છે.

ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે

તેમણે કહ્યું, આ જ કારણ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ગુંડારાજ અને માફિયારાજથી આઝાદીના કારણે જ આવું બન્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Election) ભારતીય જનતા પાર્ટી અગાઉની ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતીને રાજ્યમાં સરકાર બનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા ઉલ્લંઘન પર અનુરાગ ઠાકુરે કહ્યું છે કે પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે. કેટલાક લોકો આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે, ગૃહ મંત્રાલયે પણ રિપોર્ટ માંગ્યો છે. દેશની ન્યાય વ્યવસ્થા દરેકને ન્યાય આપે છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મંત્રાલય મામલાને લગતી દરેક માહિતી એકઠી કરી રહ્યું છે. આ પછી મોટા અને કડક નિર્ણયો લેવામાં આવશે.

આ પણ વાંચો : તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ

આ પણ વાંચો : Delhi: AIIMSમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત, મનસુખ માંડવિયાએ તમામને મળી સ્વાસ્થ્યની જાણકારી મેળવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">