તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન (Home Isolation) ફરજિયાત બનાવ્યું છે.

તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ
Corona Guidelines For International Arrivals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:45 PM

દેશમાં કોરોનાના વધી રહેલા કેસ (Corona Cases) જોતા લાગે છે કે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે. નવા વેરિઅન્ટ ઓમીક્રોનએ (Omicron) કોરોનાનો ખતરો અનેક ગણો વધારી દીધો છે, જેના કારણે સરકાર ખૂબ જ ચિંતિત છે. કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા સરકાર સતત માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી રહી છે. આ બાબતે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન (Home Isolation) ફરજિયાત બનાવ્યું છે. એટલે કે, જો કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રવાસી ભારત આવે છે, તો સૌ પ્રથમ તેમણે 7 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

મળતી માહિતી મુજબ, 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ 8માં દિવસે આ લોકોનો RT PCR ટેસ્ટ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.

આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવી અને રાખવી ફરજિયાત

કોરોનાના જે મોટા ભાગના કેસો સામે આવી રહ્યા છે તે એવા છે જેઓ હાલમાં જ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા છે. આ સ્થિતિમાં, સરકાર દ્વારા કોરોનાના કેસ પર બ્રેક લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર, ભારતની મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા તમામ લોકોએ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવી પડશે.

કોરોના નેગેટિવ RTPCR રિપોર્ટ પણ મુસાફરી શરૂ કર્યાના 72 કલાકની અંદર અપલોડ કરવાનો રહેશે. આ ઉપરાંત, જેમને ભારત આવવા પર ટેસ્ટની જરૂર છે, તેઓએ પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ પણ કરવું પડશે.

જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓએ ભારતમાં આગમન સમયે પરીક્ષણોમાંથી પસાર થવું પડશે અને જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવશે તો કડક આઇસોલેશન પ્રોટોકોલનું પાલન કરવું પડશે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને શું કરવું અને શું ન કરવું તે પણ આપવામાં આવશે. તે જ સમયે, મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને રાખવી જરૂરી છે.

દેશમાં કોરોનાના કેસ

દેશમાં દરરોજ કોરોનાના ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. તેમજ 300 કોરોના દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, 24 કલાકમાં 30 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 6 જૂને દેશમાં કોરોનાના એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. 6 જૂન 2021ના રોજ કોરોનાના કુલ 1 લાખ 636 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

આ પણ વાંચો : PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">