AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન (Home Isolation) ફરજિયાત બનાવ્યું છે.

તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ
Corona Guidelines For International Arrivals
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:45 PM
Share

દેશમાં કોરોનાના વધી રહેલા કેસ (Corona Cases) જોતા લાગે છે કે ત્રીજી લહેરની શરૂઆત થઈ છે. નવા વેરિઅન્ટ ઓમીક્રોનએ (Omicron) કોરોનાનો ખતરો અનેક ગણો વધારી દીધો છે, જેના કારણે સરકાર ખૂબ જ ચિંતિત છે. કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા સરકાર સતત માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી રહી છે. આ બાબતે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન (Home Isolation) ફરજિયાત બનાવ્યું છે. એટલે કે, જો કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રવાસી ભારત આવે છે, તો સૌ પ્રથમ તેમણે 7 દિવસ માટે હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

મળતી માહિતી મુજબ, 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ 8માં દિવસે આ લોકોનો RT PCR ટેસ્ટ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.

આરોગ્ય સેતુ એપ પણ ડાઉનલોડ કરવી અને રાખવી ફરજિયાત

કોરોનાના જે મોટા ભાગના કેસો સામે આવી રહ્યા છે તે એવા છે જેઓ હાલમાં જ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા છે. આ સ્થિતિમાં, સરકાર દ્વારા કોરોનાના કેસ પર બ્રેક લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર, ભારતની મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા તમામ લોકોએ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવી પડશે.

કોરોના નેગેટિવ RTPCR રિપોર્ટ પણ મુસાફરી શરૂ કર્યાના 72 કલાકની અંદર અપલોડ કરવાનો રહેશે. આ ઉપરાંત, જેમને ભારત આવવા પર ટેસ્ટની જરૂર છે, તેઓએ પોર્ટલ પર ટેસ્ટનું ઓનલાઈન પ્રી-બુકિંગ પણ કરવું પડશે.

જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓએ ભારતમાં આગમન સમયે પરીક્ષણોમાંથી પસાર થવું પડશે અને જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવશે તો કડક આઇસોલેશન પ્રોટોકોલનું પાલન કરવું પડશે. એરલાઇન્સ દ્વારા મુસાફરોને શું કરવું અને શું ન કરવું તે પણ આપવામાં આવશે. તે જ સમયે, મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને રાખવી જરૂરી છે.

દેશમાં કોરોનાના કેસ

દેશમાં દરરોજ કોરોનાના ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. તેમજ 300 કોરોના દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, 24 કલાકમાં 30 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 6 જૂને દેશમાં કોરોનાના એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. 6 જૂન 2021ના રોજ કોરોનાના કુલ 1 લાખ 636 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

આ પણ વાંચો : PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">