AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: AIIMSમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત, મનસુખ માંડવિયાએ તમામને મળી સ્વાસ્થ્યની જાણકારી મેળવી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન એક પછી એક તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા (AIIMS Workers Corona Positive) અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

Delhi: AIIMSમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત, મનસુખ માંડવિયાએ તમામને મળી સ્વાસ્થ્યની જાણકારી મેળવી
AIIMS
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 6:53 PM
Share

દિલ્હી (Delhi)માં કોરોનાના કેસ (Corona case) ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે હોસ્પિટલોમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટરની ઓફિસમાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

સમાચાર મુજબ ડાયરેક્ટર ઓફિસમાં 8થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. AIIMSમાં વધતા સંક્રમણને કારણે તમામ નિયમિત દર્દીઓને (regular patients) દાખલ કરવાની કામગીરી અને જરૂરી સર્જરી (Surgery) હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આગામી આદેશ બાદ રોજીંદી કામગીરી શરૂ કરી શકાશે.

કર્મચારીઓના કોરોના સંક્રમિત થયાના સમાચાર મળ્યા બાદ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ગુરુવારે AIIMS પહોંચ્યા હતા. તેઓ તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા હતા અને તેમની ખબર પૂછી હતી. AIIMS પહોંચ્યા બાદ સ્વાસ્થ્ય પ્રધાને પહેલા PPE કીટ પહેરી અને બાદમાં તેઓ નવા પ્રાઈવેટ વોર્ડના કોરોના વોર્ડમાં પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે AIIMSના વરિષ્ઠ ડૉ. અચલ શ્રીવાસ્તવ પણ હાજર હતા. જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એક પછી એક તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં સંક્રમિત

સમાચાર મુજબ તમામ કર્મચારીઓમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હેલ્થ કેર વર્કર્સનું કહેવું છે કે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવાને કારણે આ વખતે ચેપનું જોખમ બહુ વધારે નથી. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં AIIMSના 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં ડોકટર્સની સાથે નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. આ સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર પણ વાયરસથી સંક્રમિત થયા છે. નવા પ્રાઈવેટ વોર્ડનો મોટો હિસ્સો કોરોના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યો છે.

’17 હજાર નવા સંક્રમણના કેસ આવવાની સંભાવના છે’

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાને ​​17 હજાર નવા કેસ આવવાની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોના સંક્રમણ ટૂંક સમયમાં ચરમસીમાએ પહોંચી શકે છે. રાજધાનીમાં હાલમાં 30,000થી વધુ સક્રિય કેસ છે અને 24 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આગામી બે મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

આ પણ વાંચોઃ નેતાઓ નિયંત્રણનો ડોઝ ક્યારે લેશે ? ભાજપના આ રાષ્ટ્રીય મંત્રી કોરોના સંક્રમિત હોવા છતા ફ્લાઈટની કરી મુસાફરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">