AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: સમાજવાદી પાર્ટીને મળ્યો રાજભરનો વિકલ્પ! આ નેતાઓને આગળ કરીને 2024ની ચૂંટણી લડશે અખિલેશ યાદવ

કોંગ્રેસ વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે સક્રિય છે, તો સપા પોતાના જૂથને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ઓમપ્રકાશ રાજભર ભાજપની છાવણી સાથે ગયા છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલની રાજનીતિમાં ભાજપ મજબૂત થશે, પરંતુ અખિલેશે પણ એક વિકલ્પ શોધી લીધો છે.

Uttar Pradesh: સમાજવાદી પાર્ટીને મળ્યો રાજભરનો વિકલ્પ! આ નેતાઓને આગળ કરીને 2024ની ચૂંટણી લડશે અખિલેશ યાદવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 1:17 PM
Share

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) યોજાવાની છે અને તેને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજનીતિ પણ મહત્વની બની છે. યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) જાતિ સમીકરણો પર કામ કરવાનું શરૂ કર્યું છે.

ઓમપ્રકાશ રાજભરે સપા ગઠબંધન તોડીને બીજેપી સાથે ગયા બાદ હવે અખિલેશે બે મુખ્ય વ્યૂહરચનાકારોને મહત્વની જવાબદારીઓ સોંપી છે જેઓ એક સમયે બસપામાં હતા. અખિલેશ હવે બે નેતાઓ અનુપ્રિયા પટેલ અને ઓમપ્રકાશ રાજભરના કાઉન્ટરવેઈટ તરીકે જોઈ રહ્યા છે અને તેમની મદદથી કુર્મી અને રાજભર વોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સપા પોતાના જૂથને મજબૂત કરવામાં વ્યસ્ત

કોંગ્રેસ વિપક્ષી એકતાને મજબૂત કરવા માટે સક્રિય છે, તો સપા પોતાના જૂથને મજબૂત કરવામાં વ્યસ્ત છે. જ્યારથી ઓમપ્રકાશ રાજભર ભાજપની છાવણી સાથે ગયા છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વાંચલની રાજનીતિમાં ભાજપ મજબૂત થશે, પરંતુ અખિલેશે પણ એક વિકલ્પ શોધી લીધો છે.

કુર્મી અને રાજભરના મતો પર તેમની નજર

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશે બેંગલુરૂમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં પૂર્વ મંત્રી લાલજી વર્મા અને રામ અચલ રાજભરને સામેલ કરીને કુર્મી અને રાજભરના મતો પર તેમની નજર છે. હવે આ બંને જાતિના મતદારોને મદદ કરવામાં તેમની મોટી ભૂમિકા હશે.

બંને BSPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે

પૂર્વ મંત્રી લાલજી વર્મા અને રામ અચલ રાજભર બંને BSPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. એક સમય હતો જ્યારે બસપા સુપ્રીમો આ બંને નેતાઓ પર આંધળો વિશ્વાસ કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ બંને નેતાઓએ બસપાના પ્રદેશ અધ્યક્ષ રહીને સમગ્ર રાજ્યમાં પોતાની અલગ ટીમ બનાવી હતી અને તેમની પોતપોતાની જાતિના મતો પર સારી પકડ છે.

આ પણ વાંચો : Jyoti-Alok Maurya: SDM જ્યોતિ મૌર્યની મુશ્કેલીઓ વધી, ભ્રષ્ટાચારનો મામલો લોકાયુક્ત સુધી પહોંચ્યો

હવે આ બંને નેતાઓ સપાના રણનીતિકાર બની ગયા છે. અખિલેશ લાલજીનો હાથ પકડીને લખનૌની સડકો પર નીકળે કે વિપક્ષની બેઠકમાં રાહુલ ગાંધી સાથે દેખાતા આ બંને નેતાઓની તસવીર એ વાતનો સંકેત છે કે સપાની રાજનીતિમાં તેમનું કદ વધી રહ્યું છે.

કોઈપણ રીતે, પૂર્વાંચલમાં રાજભર અને કુર્મી મતદારોની બહુમતી છે. અનુપ્રિયા પટેલ અને ઓમપ્રકાશ રાજભર ભાજપ સાથે છે. જ્યારથી ઓમપ્રકાશ સપા ગઠબંધન છોડ્યા બાદથી એવું માનવામાં આવતું હતું કે અખિલેશ જલદી પોતાનો વિકલ્પ શોધી લેશે. આવી સ્થિતિમાં તેમની જાતિમાં લાલજી વર્મા અને ઓમપ્રકાશ રાજભરનું રાજકીય કદ સપા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અહેવાલ – અનુરાગ ચૌધરી

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">