AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: PM Narendra Modi આજે ફરીથી યૂપીની મુલાકાતે, બુંદેલખંડમાં સૈનિકો અને ખેડૂતોને આપશે ભેંટ 

પીએમ મોદી વીરાંગના રાણી લક્ષ્મીબાઈના 193માં જન્મદિવસ (193rd birthday of Veerangana Rani Laxmibai) ના અવસર પર ઝાંસી (Jhansi) પહોંચશે અને અહીં તેઓ ખેડૂતો અને સૈનિકો માટે ઘણી યોજનાઓ શરૂ કરશે.

Uttar Pradesh: PM Narendra Modi આજે ફરીથી યૂપીની મુલાકાતે, બુંદેલખંડમાં સૈનિકો અને ખેડૂતોને આપશે ભેંટ 
PM Narendra Modi to visit UP again today
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:04 AM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ફરી એકવાર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રવાસે છે. બે દિવસ પહેલા પીએમ મોદી રાજ્યના પૂર્વાંચલ (Purvanchal)ના પ્રવાસે હતા અને જ્યાં તેમણે ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તે જ સમયે, આજે પીએમ મોદી બુંદેલખંડ (Bundelkhand) ના પ્રવાસે છે. અહીં તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી ઝાંસી(Jhansi) ની સાથે સાથે મહોબા ( Mahoba) માં પણ મોટી યોજનાઓ શરૂ કરશે. ઝાંસીમાં સૈનિકો માટે યોજનાઓ શરૂ કરશે, જ્યારે  મહોબામાં ખેડૂતોને પાણીની ભેટ આપશે.
વાસ્તવમાં, પીએમ મોદી વીરાંગના રાણી લક્ષ્મીબાઈના 193માં જન્મદિવસ (193rd birthday of Veerangana Rani Laxmibai) ના અવસર પર ઝાંસી (Jhansi) પહોંચશે અને અહીં તેઓ ખેડૂતો અને સૈનિકો માટે ઘણી યોજનાઓ શરૂ કરશે. મહોબામાં તેઓ બંધોને જોડતા અર્જુન સહાયક પ્રોજેક્ટની સાથે રૂ. 3263 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.
આ પછી તેઓ ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરના પ્રથમ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટમાં એન્ટી ટેન્ક મિસાઈલ અને લાઈટ હેલિકોપ્ટર બનાવવામાં આવશે. આ સિવાય પીએમ મોદી મેગા સોલાર પાર્ક સહિત સૌથી હળવા સ્વદેશી હેલિકોપ્ટર, વોરફેર સૂટ સહિત તમામ સૈન્ય શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટમાં 3414 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
પીએમ મોદી રાણી લક્ષ્મીબાઈના કિલ્લાની મુલાકાત લેશે
ઝાંસીની મુલાકાત દરમિયાન મોદી વડાપ્રધાન રાણી લક્ષ્મીબાઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપતા પહેલા ઝાંસી કિલ્લાની મુલાકાત લેશે. પીએમ મોદી તે જગ્યાની પણ મુલાકાત લેશે જ્યાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સાથે લડાઈ કરી હતી અને ઘોડા પરથી કૂદી હતી. તે કિલ્લાના સૌથી ઊંચા ટાવર પરથી શહેરનો નજારો લેશે.
10 લાખ ખેડૂતોને પાણી મળશે
દેશના સૈનિકો માટે ઘણી યોજનાઓ શરૂ કર્યા બાદ પીએમ મોદી બુંદેલખંડમાં ખેડૂતો માટે ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. વાસ્તવમાં, બુંદેલખંડના સાત જિલ્લાઓ દાયકાઓથી જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને આ વિસ્તાર ક્યારેય સરકારોની પ્રાથમિકતામાં નથી રહ્યો અને ન તો અહીં પાણીની સમસ્યા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
આથી પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન પાણી સંબંધિત ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. 500 થી વધુ ગામો, 10 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળશે. તેમાં લલિતપુરનો ભવાની ડેમ, મહોબાનો અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ મુખ્ય છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી મહોબામાં 3263 કરોડનું ઉદ્ઘાટન કરશે.
આ યોજનાઓની આપશે ભેટ
અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ- 2655 કરોડ
રાતોલી ડેમ પ્રોજેક્ટઃ 54 કરોડ
મજગવન-મરચા સિંચાઈ યોજનાઃ 18 કરોડ
ભવાની ડેમ પ્રોજેક્ટ – 512 કરોડ
પાંચ અન્ય પ્રોજેક્ટઃ 24 કરોડ
ઝાંસીમાં 3414 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન
600 મેગાવોટ અલ્ટ્રામેગા સોલર પાર્કઃ 3013 કરોડ
ઝાંસી ડિફેન્સ કોરિડોરઃ 400 કરોડ
એકતા પાર્ક: 1.30 કરોડ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">