AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ

Ahmedabad: શહેરમાં દિવાળી પહેલા રોડ-રસ્તાના સમારકામનો વાયદો AMC એ આપ્યો હતો. તેમ છતાં ઘોડાસર વિસ્તારમાં આવેલ બ્રિજ પર હાલાજ જેમને તેમ જોવા મળી રહી છે.

Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ
Road in Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 6:44 AM
Share

Ahmedabad: ચોમાસા (Monsoon 2021) દરમિયાન રોડ રસ્તાની (Road) હાલત એવી થઇ ગઈ હતી કે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તો ચોમાસા બાદ રાજ્ય સરકારે રોડ રસ્તાના ખાડા પુરવાનું અભિયાન (Road Repair) પણ ચલાવ્યું હતું. આ અભિયાનમાં સરકારને હજારોની સંખ્યામાં ફરિયાદો આવી હતી. સરકારની માહિતી અનુસાર ખાડા (Pothole) પુરવાની આ ફરિયાદો પર એક્શન લેવામાં પણ આવી છે. તેમ છતાં ઘણા હાઈવે, અને અન્ય રોડ રસ્તાઓમાં પણ ખાડા જોવા મળે છે. તો બીજી તરફ શહેરોની પણ એ જ હાલત છે.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વરસાદ દરમિયાન પડેલા ખાડા દિવાળી સુધી પુરવાનું અને ખરાબ રોડ રસ્તાનું સમારકામ કરવાનું AMC એ જણાવ્યું હતું. AMC ના વાયદા કેટલા પુરા થયા તે તો અમદાવાદીઓ નજરે જ જોઈ શકે છે.

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ દિવાળી સુધીમાં તમામ રસ્તાનું સમારકામ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર પાસે આવેલા બ્રિજ પરનો રસ્તો હજુ પણ ખાડાગ્રસ્ત છે. જેને પગલે કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં રોડની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

અહીંયાના સ્થાનિકોનું કહેવું છે કે ટેક્સ ભરવા છતાં તેમને સારા રસ્તાનો લાભ નથી મળી રહ્યો. ખરાબ રસ્તાના કારણે વાહનોનું મેઈન્ટેનન્સ વધવાનો અને સ્વાસ્થ્યને અસર થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી તેમની સમસ્યાનો ઉકેલ આવે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રોડ-રસ્તા અને તેની ખરાબ હાલત મામલે હાઇકોર્ટે લગભગ એક મહિના અગાઉ ઝાટકણી કાઢી હતી. ખાનગી સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પહેલા રોડ રસ્તા સારા બનાવો. કેમ કે તમારી બેદરકારી લોકોને જોખમમાં મૂકી રહી છે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને જવાબા આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે ખરાબ રોડ માટે જવાબદાર અધિકારો સામે પગલા કેમ નથી લેવાતા એ વિશે પણ સવાલ પૂછ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં 48 ટકા બિલ્ડીંગો પાસે બીયુ પરમિશન નથી, હાઇકોર્ટે લીધેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો

આ પણ વાંચો: પોલેન્ડની રાજધાનીમાં જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના નામ પર છે ચોક, જાણો તેની પાછળનું કારણ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">