Uttar Pradesh: મહંત પરમહંસ દાસ પૂજા માટે તાજ મહેલ પહોંચ્યા, આગ્રા પોલીસે અટકાવ્યા

|

May 03, 2022 | 7:49 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આગ્રા જિલ્લામાં સ્થિત તાજમહેલમાં (Taj Mahal) 26 એપ્રિલે ભગવાધારી સંત જગતગુરુ પરમહંસને ભગવા વસ્ત્રો અને ધર્મ દંડ સાથે તાજ મહેલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

Uttar Pradesh: મહંત પરમહંસ દાસ પૂજા માટે તાજ મહેલ પહોંચ્યા, આગ્રા પોલીસે અટકાવ્યા
Jagadguru Paramhansa Acharya

Follow us on

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આગ્રા જિલ્લામાં સ્થિત તાજમહેલમાં (Taj Mahal) 26 એપ્રિલે ભગવાધારી સંત જગતગુરુ પરમહંસને ભગવા વસ્ત્રો અને ધર્મ દંડ સાથે તાજ મહેલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. હિન્દુ સંગઠનોએ પણ આ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો ખુલાસો કર્યો હતો કે પરમહંસ સંતને ભગવા વસ્ત્રો પહેરવાને કારણે તાજ મહેલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા ન હતા. આ દરમિયાન તેને કહેવામાં આવ્યું કે તેમને ધારણ કરેલા ધર્મ દંડને કારણે તાજ મહેલમાં પ્રવેશવું શક્ય નથી.

આ અંગે પરમહંસ સંતે જાહેરાત કરી હતી કે તેઓ 5 મેના રોજ ફરીથી તાજ મહેલની મુલાકાત લેશે. કારણ કે તાજ મહેલ એક પ્રાચીન સિદ્ધ શિવ મંદિર તેજો મહેલ છે. જ્યાં તેઓ ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આપને જણાવી દઈએ કે અચાનક 3 મેના રોજ ઈદના દિવસે જગત ગુરુ પરમહંસ તાજમહેલ જવા માટે આગ્રા પહોંચ્યા હતા. તેના અચાનક આગમનથી પોલીસ અને આગ્રા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો જેણે તાજ મહેલની અંદર ભૂમિ પૂજન કરવાનો આગ્રહ શરૂ કર્યો. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

મહંત પરમહંસ બોલ્યા – શુભ કાર્ય કરતા પહેલા શુદ્ધિ જરૂરી છે

જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું હતું કે હું 26મીએ આગ્રા આવ્યો હતો. ત્યારે મને ભગવા વસ્ત્રો અને બ્રહ્મ દંડના કારણે તાજ મહેલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. વિરોધ થયો ત્યારે અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે મને આગ્રા આવવા આમંત્રણ આપ્યું. એટલા માટે હું અક્ષય તૃતીયા પર આગ્રા આવ્યો છું. કારણ કે આજે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ હોવાથી અને મંગળવાર હનુમાનજીનો દિવસ હોવાથી હું બપોરે 12 વાગ્યે તેજો મહેલમાં પ્રવેશ કરીશ અને ભૂમિ પૂજન કરીશ. જો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શુદ્ધિકરણ જરૂરી હોય, તો અમે આ પ્રાચીન સિદ્ધ શિવ મંદિરને શુદ્ધ કરીશું.

અધિકારીએ કહ્યું કે ભગવા રંગના કપડાં પહેરીને જવા પર કોઈ પ્રતિબંધ નથી

સૂચિત કાર્યક્રમ પહેલા 5મી મેના રોજ નક્કી કરવામાં આવ્યો છે. તેઓ ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ઉપરાંત ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા સનાતન ધર્મ સંસદનું આયોજન કરવાનું છે. પરંતુ આજે મને ભગવો પહેરીને તાજ મહેલમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે અને ટોપીવાળા છે તેઓ તાજ મહેલમાં જઈ રહ્યા છે. પરંતુ, આજે વહીવટીતંત્રે તાજ મહેલમાં પ્રવેશવાની જગદગુરુ પરમહંસની માગને સ્વીકારી ન હતી અને તેમને તાજમહેલ જતા અટકાવ્યા હતા.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના પબ વીડિયો પર કોંગ્રેસે કર્યો પલટવાર, પ્રકાશ જાવડેકરનો શેમ્પેન સાથેનો ફોટો શેર કરીને પૂછ્યું- Who Is This?

આ પણ વાંચો : રાહુલ ગાંધીની મહિલા મિત્ર કોણ છે? જેના લગ્નમાં કોંગ્રેસના નેતા નેપાળ ગયા છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:49 pm, Tue, 3 May 22

Next Article