AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, CM યોગીની તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના

યુપીમાં શાનદાર જીતની યોગી સરકારે યુવાનોને રિટર્ન ગિફ્ટ આપી છે. બે દિવસ પહેલા 20 હજાર નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ યોગીએ તમામ સર્વિસ સિલેક્શન બોર્ડને નોકરી આપવાની સૂચના આપી છે.

UP: 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, CM યોગીની તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના
Yogi Adityanath - File PhotoImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:10 PM
Share

ઉત્તર પ્રદેશમાં 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી (Government Job) આપવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) આ અંગે તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના આપી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં રાજ્યના 10,000 થી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને નોકરીઓ સાથે જોડવા અને તેમને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ ક્રમમાં યુપી સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. યુવાઓને યોગી સરકારની મોટી ભેટ માનવામાં આવી રહી છે. ભાજપે 100 દિવસમાં 20 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. યુપીની જીત બાદ સીએમ યોગી પોતાનું વચન પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.

10 હજારથી વધુ યુવાનોને નોકરી મળશે

યુવાનોને યોગી સરકારની રિટર્ન ગિફ્ટ

યુપીમાં શાનદાર જીતની યોગી સરકારે યુવાનોને રિટર્ન ગિફ્ટ આપી છે. બે દિવસ પહેલા 20 હજાર નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ યોગીએ તમામ સર્વિસ સિલેક્શન બોર્ડને નોકરી આપવાની સૂચના આપી છે. ભાજપના શાસનમાં નોકરીઓ એક મોટો મુદ્દો રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. હવે સરકારે જાહેરાત કરી છે કે 100 દિવસમાં યુવાનોને 20 હજાર નોકરીઓ અને 50 હજાર રોજગારની તકો આપવામાં આવશે.

5 કરોડ લોકોને સ્વરોજગાર આપવાનું લક્ષ્ય

સરકારે આગામી 5 વર્ષમાં રાજ્યમાં 5 કરોડ લોકોને સ્વરોજગારી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપે 2022 વિધાનસભાના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષમાં દરેક પરિવારને ઓછામાં ઓછી એક રોજગાર અથવા સ્વ-રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ દિશામાં પહેલું પગલું સીએમ યોગીએ કરેલી જાહેરાત છે. રાજ્યમાં 10 હજારથી વધુ યુવાનોને નોકરી આપવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : UP: અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું, તસવીરોમાં દેખાય છે ભવ્ય અને દિવ્ય આકાર

આ પણ વાંચો : WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે

Follow Us
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">