AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, CM યોગીની તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના

યુપીમાં શાનદાર જીતની યોગી સરકારે યુવાનોને રિટર્ન ગિફ્ટ આપી છે. બે દિવસ પહેલા 20 હજાર નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ યોગીએ તમામ સર્વિસ સિલેક્શન બોર્ડને નોકરી આપવાની સૂચના આપી છે.

UP: 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, CM યોગીની તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના
Yogi Adityanath - File PhotoImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:10 PM
Share

ઉત્તર પ્રદેશમાં 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી (Government Job) આપવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) આ અંગે તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના આપી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં રાજ્યના 10,000 થી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને નોકરીઓ સાથે જોડવા અને તેમને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ ક્રમમાં યુપી સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. યુવાઓને યોગી સરકારની મોટી ભેટ માનવામાં આવી રહી છે. ભાજપે 100 દિવસમાં 20 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. યુપીની જીત બાદ સીએમ યોગી પોતાનું વચન પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.

10 હજારથી વધુ યુવાનોને નોકરી મળશે

યુવાનોને યોગી સરકારની રિટર્ન ગિફ્ટ

યુપીમાં શાનદાર જીતની યોગી સરકારે યુવાનોને રિટર્ન ગિફ્ટ આપી છે. બે દિવસ પહેલા 20 હજાર નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ યોગીએ તમામ સર્વિસ સિલેક્શન બોર્ડને નોકરી આપવાની સૂચના આપી છે. ભાજપના શાસનમાં નોકરીઓ એક મોટો મુદ્દો રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. હવે સરકારે જાહેરાત કરી છે કે 100 દિવસમાં યુવાનોને 20 હજાર નોકરીઓ અને 50 હજાર રોજગારની તકો આપવામાં આવશે.

5 કરોડ લોકોને સ્વરોજગાર આપવાનું લક્ષ્ય

સરકારે આગામી 5 વર્ષમાં રાજ્યમાં 5 કરોડ લોકોને સ્વરોજગારી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપે 2022 વિધાનસભાના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષમાં દરેક પરિવારને ઓછામાં ઓછી એક રોજગાર અથવા સ્વ-રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ દિશામાં પહેલું પગલું સીએમ યોગીએ કરેલી જાહેરાત છે. રાજ્યમાં 10 હજારથી વધુ યુવાનોને નોકરી આપવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : UP: અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ માટે પ્લીન્થનું કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું, તસવીરોમાં દેખાય છે ભવ્ય અને દિવ્ય આકાર

આ પણ વાંચો : WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">