Uttar Pradesh: UPની નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક, હોળી પછી શપથ ગ્રહણની શક્યતા

યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી.

Uttar Pradesh: UPની નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક, હોળી પછી શપથ ગ્રહણની શક્યતા
Uttar Pradesh Core Committee Meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:36 AM

Uttar Pradesh: ભાજપ યુપી(BJP UP) કોર કમિટી(Core Committee)એ બુધવારે રાજ્યમાં સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે 6 કલાક લાંબી મહત્વની બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)માં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ નવી રાજ્ય કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે દિલ્હીમાં બીજેપી મુખ્યાલય(Delhi BJP Head Quarter) માં એક બેઠક યોજાઈ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(BJP National President J P Nadda), રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, યુપીના નામાંકિત સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi Aditya Nath), કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે 36 ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે શપથગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવનાર અગ્રણી ચહેરાઓના નામો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે હોળી પછી થવાની શક્યતા સૂત્રોના જણાવ્યા અનુસાર. ભાજપે 403માંથી 255 બેઠકો જીતીને ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવી રાખી અને 41.29 ટકા વોટ શેર મેળવ્યા.

1 લાખ કરતા વધારે મતોથી મેળવી જીત

યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. સાધુમાંથી રાજકારણી બનેલા યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી. તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા હતા. સુભાવતી શુક્લાને 62,109 વોટ મળ્યા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવ્યા બાદ, ભાજપ સ્થાનિક સંસ્થાઓ સત્તામંડળમાંથી 9 એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાન પરિષદની 36 બેઠકોની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બહુમતી મેળવવાની નજરમાં રહેશે. ઉત્તર પ્રદેશની 100 સભ્યોની વિધાન પરિષદમાં હાલમાં ભાજપમાંથી 35, સપાના 17 અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ચાર સભ્યો છે. કોંગ્રેસ, અપના દળ (સોનેલાલ) અને નિષાદ પાર્ટી યુપી વિધાન પરિષદમાં એક-એક સભ્ય ધરાવે છે. હાલ 37 બેઠકો ખાલી છે.

કાઉન્સિલમાં વિપક્ષના નેતા અહેમદ હસનનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સપાના ઘણા MLC ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં નરેન્દ્ર સિંહ ભાટી, શત્રુદ્ર પ્રકાશ, રામા નિરંજન, રવિશંકર સિંહ પપ્પુ, સીપી ચંદ્રા, ઘનશ્યામ લોધી, શૈલેન્દ્ર પ્રતાપ સિંહ અને રમેશ મિશ્રાનો સમાવેશ થાય છે. બીએસપી એમએલસી સુરેશ કશ્યપ પણ ભાજપમાં જોડાયા છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">