‘યુપીના રસ્તાઓ 15 નવેમ્બર સુધીમાં ખાડા મુક્ત થઈ જવા જોઈએ’, સીએમ યોગીએ PWDને આપ્યો આદેશ
સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી(CM Yogi Aditya Nath)એ જણાવ્યું હતું કે, ખાડા મુક્ત કરવાની સાથે રસ્તાઓની જાળવણીની પણ કાળજી લેવી જોઈએ. રસ્તાઓના સમારકામ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે (UP CM Yogi AdityaNath) ગુરુવારે જાહેર બાંધકામ વિભાગ(PWD)ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે 15 નવેમ્બર સુધીમાં યુપીને ખાડામુક્ત (Pot Fres)કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે ગામ, શહેર, રાજ્યના તમામ લોકોને સારી કનેક્ટિવિટીનો અધિકાર છે. સીએમએ એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના રસ્તાઓને સુધારવાની જવાબદારી અમારી છે. એટલું જ નહીં, આ બેઠકમાં મુખ્યમંત્રીએ 8 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ઈન્ડિયન રોડ કોંગ્રેસ(Indian Road Congress)ના 81માં સત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.
સાર્વજનિક બાંધકામ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાડા મુક્ત કરવાની સાથે રસ્તાઓની જાળવણીની પણ કાળજી લેવી જોઈએ. રસ્તાઓના સમારકામ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. સીએમએ કહ્યું કે રોડ નિર્માણમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારોની પણ મદદ લેવી જોઈએ.
સીએમ યોગીએ કહ્યું કે સારી કનેક્ટિવિટી એ પ્રગતિનું માધ્યમ છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. આજે દૂરના ગામડાઓ સુધી સારી રોડ કનેક્ટિવિટી છે. સરહદી વિસ્તાર સુધી ઉત્તમ રસ્તાઓનું નેટવર્ક છે. તેનો સીધો લાભ રાજ્યની જનતાને મળી રહ્યો છે. PWD, શહેરી વિકાસ, સિંચાઈ, આવાસ અને શહેરી આયોજન, ગ્રામીણ વિકાસ, ગ્રામીણ ઈજનેરી, શેરડી વિકાસ વિભાગ, ઔદ્યોગિક વિકાસ વિભાગ સહિત માર્ગ નિર્માણને લગતા તમામ વિભાગોએ આ સંદર્ભે એક વ્યાપક કાર્ય યોજના તૈયાર કરવી જોઈએ.
શેરડી વિકાસ વિભાગે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું સારું કામ કર્યું છે. ખેડૂતોના શેરડીના ભાવની બાકી રકમની રેકોર્ડ ચૂકવણી હોય કે નવી સુગર મિલોની સ્થાપના, જૂની મિલોનું નવીનીકરણ દરેક ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આત્મનિર્ભર ઉત્તર પ્રદેશની કલ્પના સાથે જોડાઈને, શેરડી વિકાસ વિભાગ ખાંડ મિલોના નવીનીકરણ, તકનીકી ક્ષમતામાં વધારો, ખાનગી ખાંડ મિલોને સોફ્ટ લોન, બાંધકામ, જાળવણી, સમારકામ વગેરેના સંબંધમાં એક વિશેષ ભંડોળ સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. આ ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ઉપયોગી થશે. કોવિડના પડકારો હોવા છતાં, અમે રેકોર્ડ સમયમાં સંપૂર્ણ ગુણવત્તા સાથે કોઈપણ વિવાદ વિના પૂર્વાંચલ એક્સપ્રેસવે અને બુંદેલખંડ એક્સપ્રેસવેના રૂપમાં વર્લ્ડ ક્લાસ કનેક્ટિવિટી બનાવી છે. તેમની ફિલ્ડ વિઝિટ પણ ડેલિગેટ્સને કરાવવી જોઈએ.
ઉત્તર પ્રદેશની યજમાનીમાં 08 ઓક્ટોબરથી યોજાનાર ઈન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)ના 81મા સત્રમાં ભારત સરકારના માનનીય મંત્રીઓ ગૌરવપૂર્ણ હાજરી આપશે. આ ઉપરાંત, માર્ગ નિર્માણ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ/કંપનીઓના 1500 પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થાય તેવી ભાવના સાથે આ સંમેલન તમામ પ્રતિનિધિઓ માટે અવિસ્મરણીય બની રહે.