AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Cabinet: યોગીના નામ પર ધારાસભ્યોની મહોર, આજે લેશે શપથ, કોને મળશે નવા મંત્રીમંડળમાં સ્થાન અને કોના પત્તા કપાશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા ડેપ્યુટી સીએમ રહેશે, તેમજ નાયબ મુખ્યમંત્રીઓની યાદીમાં એક નવું નામ જોડાઈ શકે છે.

UP Cabinet: યોગીના નામ પર ધારાસભ્યોની મહોર, આજે લેશે શપથ, કોને મળશે નવા મંત્રીમંડળમાં સ્થાન અને કોના પત્તા કપાશે?
Yogi Aditya Nath will take oath today
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:09 AM
Share

UP Cabinet:ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં શુક્રવારે નવી સરકાર બનવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ ફરી એકવાર રાજ્યના સીએમ તરીકે શપથ લેશે. યોગી કેબિનેટમાં કેટલા મંત્રીઓ હશે અને કોનું સરનામું કપાશે, આ વખતે કેટલા ડેપ્યુટી સીએમ હશે, આ તમામ સવાલો દરેકના મનમાં છે. સાથે જ આ સવાલો પણ સામાન્ય છે કે નવી સરકારમાં કેશવ પ્રસાદ મૌર્યની ભૂમિકા શું હશે અને દિનેશ શર્મા આ વખતે કઈ ભૂમિકામાં હશે.આ દિવસોમાં ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં એક જ પ્રશ્ન ગુંજાઈ રહ્યો છે, પછી તે ગામડાની શેરીઓ હોય કે ચાની દુકાન, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે યોગી કેબિનેટમાં કોણ મંત્રી બનશે. જણાવી દઈએ કે હજુ સુધી ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે યોગી કેબિનેટ(Yogi Cabinet)માં વધુ ફેરફાર નહીં થાય. 2017ના યોગી કેબિનેટના આધારે મંત્રી પરિષદની રચના કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા ડેપ્યુટી સીએમ તરીકે ચાલુ રહેશે. તેમજ નાયબ મુખ્યમંત્રીઓની યાદીમાં એક નવું નામ જોડાઈ શકે છે. બેબીરાની મૌર્યને ડેપ્યુટી સીએમનું પદ પણ આપવામાં આવી શકે છે. સમાચાર અનુસાર, કેશવ પ્રસાદ મૌર્ય પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે દિનેશ શર્મા બ્રાહ્મણ ચહેરો અને બેબીરાની મૌર્યને દલિત ચહેરા તરીકે નવી કેબિનેટમાં તક મળી શકે છે. કેશવ પ્રસાદ મૌર્યની ચૂંટણી હાર્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેમને દિલ્હી મોકલવામાં આવશે, જોકે તેવું દેખાઈ નથી રહ્યુ.2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેશવ મૌર્ય લખનૌમાં જ રહેશે, સ્વતંત્રદેવ સિંહની સરકારમાં સામેલ થવાની ઘણી ચર્ચા હતી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તેઓ સંગઠનમાં જ રહેશે.

બેબી રાની મૌર્યા ડેપ્યુટી સીએમ બનવાની શક્યતાઓ પ્રબળ છે કારણ કે તે પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ મોટો દલિત ચહેરો છે. જે રીતે 2022માં દલિતોએ ભાજપને સમર્થન આપ્યું હતું, તે જ રીતે 2024માં પણ ભાજપને સમર્થનની અપેક્ષા છે. તેથી જ બેબીરાની મૌર્યને નાયબ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બ્રાહ્મણ ચહેરા પર પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા છે. દિલ્હીથી લખનૌ સુધી બેઠકોનો રાઉન્ડ ચાલ્યો, આ દરમિયાન સોશિયલ મીડિયા પર ડેપ્યુટી સીએમ તરીકે ઘણા બ્રાહ્મણ ચહેરાઓ લગાડવામાં આવ્યા,પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર દિનેશ શર્મા બ્રાહ્મણ ચહેરા તરીકે ડેપ્યુટી સીએમ બનશે.

જો નવા મંત્રીઓની વાત કરીએ તો પંકજ સિંહ, દયાશંકર સિંહ, રાજેશ્વર સિંહ, અસીમ અરુણ, શલબમણિ ત્રિપાઠીને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તે જ સમયે, યોગી કેબિનેટના જૂના મંત્રીઓના નામ લગભગ નક્કી હોવાનું માનવામાં આવે છે. ભાજપ માટે સૌથી મોટો પડકાર સાથી પક્ષોનો હિસ્સો સુનિશ્ચિત કરવાનો છે. સંજય નિષાદ નાયબ મુખ્યમંત્રી પદથી ઓછું કંઈપણ સ્વીકારવા તૈયાર નથી. જ્યારથી ચૂંટણીના પરિણામો આવ્યા છે, ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે નાયબ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે.

સૂત્રોનું માનીએ તો નિષાદ અને અપના દળના ક્વોટામાંથી એક-એક મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કોઈ કારણોસર કામ ન થાય તો અપના દળને બે મંત્રીઓ મળી શકે છે. યોગી કેબિનેટનું ચિત્ર સરકારમાં તમામ વર્ગોનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ દર્શાવવાનું હોઈ શકે છે. જેથી 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે. મંત્રી પરિષદની રચનામાં પ્રાદેશિક સંતુલનનું પણ ધ્યાન રાખવામાં આવશે. પૂર્વ, પશ્ચિમ અને બુંદેલખંડના પ્રતિનિધિઓના સંકલન પર પણ ધ્યાન આપવામાં આવશે. જેથી દરેક ક્ષેત્રને સરકારમાં પ્રતિનિધિત્વ મળી શકે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">