AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine Conflict : યૂક્રેન વિવાદ પર UNSCની ઇમરજન્સી બેઠક, કહ્યું કે, રશિયા પોતાના સૈનિકોને રોકે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી રહી છે. આ વચ્ચે UNSCએ ઇમરજન્સી બેઠક બોલાવી છે.

Russia-Ukraine Conflict : યૂક્રેન વિવાદ પર UNSCની ઇમરજન્સી બેઠક, કહ્યું કે, રશિયા પોતાના સૈનિકોને રોકે
Russia Ukraine Conflict (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:42 AM
Share

રશિયા અને યુક્રેન (Russia-Ukraine Conflict) વચ્ચે તણાવ વધી રહ્યો છે અને તે ક્યારેય યુદ્ધનું સ્વરૂપ લે તેવી ભીતિ છે. યુક્રેનની સરહદ નજીક રશિયન સૈનિકો અને હથિયારો તૈનાત કરવામાં આવ્યા છે. રશિયા વારંવાર કહી ચૂક્યું છે કે તે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ તેના દ્વારા લેવામાં આવેલા પગલાં શંકા પેદા કરી રહ્યા છે. બીજી તરફ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર સૈન્ય બળનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યા બાદ યુક્રેનએ બુધવારે દેશવ્યાપી કટોકટી જાહેર કરી હતી. અમેરિકાએ કહ્યું છે કે યુક્રેનની સરહદ પાસે તૈનાત સૈનિકો યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

યુએન સુરક્ષા પરિષદે યુક્રેન પર ઈમરજન્સી બેઠક શરૂ યોજી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બુધવારે રાત્રે યુક્રેન પર ઈમરજન્સી બેઠક યોજી હતી. આના થોડા કલાકો પહેલાં ડઝનેક દેશોના રાજદ્વારીઓએ દેશ વિરુદ્ધ રશિયાની કાર્યવાહીની નિંદા કરી હતી અને યુરોપમાં નવા યુદ્ધની આશંકા વધવા માટે રાજદ્વારી માટે આહવાન કરવા જનરલ એસેમ્બલીમાં હાજરી આપી હતી.

યુક્રેન નજીક રશિયન દળો હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે

અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, જો આદેશ આપવામાં આવે તો યુક્રેનની સરહદો પાસે તૈનાત રશિયન દળો હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યું કે 80 ટકા ફોર્સ તૈયાર છે અને તેઓ સરહદથી 5 થી 50 કિલોમીટરની ત્રિજ્યામાં તૈનાત છે. “અમે હજી સુધી પુષ્ટિ કરી શકતા નથી કે રશિયન દળો ડોનબાસ  માં પ્રવેશ્યા છે કે કેમ.

જો યુક્રેન પર હુમલો થશે તો તેના ગંભીર પરિણામો આવશે, અમેરિકાએ પુતિનને ચેતવણી આપી છે

અમેરિકાએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો પુતિનને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. અમેરિકાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં રશિયા વિરુદ્ધ જાહેર કરાયેલા પ્રતિબંધો માત્ર શરૂઆત છે.

યુક્રેનમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેન બુધવારે દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી. દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિયા સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને મોસ્કોએ યુક્રેનમાં તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી હતી અને રાજદ્વારી કર્મચારીઓને ખાલી કર્યા હતા. યુક્રેનના ધારાશાસ્ત્રીઓએ ગુરુવારથી 30 દિવસ સુધી ચાલનારી દેશવ્યાપી કટોકટી લાદવાના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના આદેશને મંજૂરી આપી દીધી છે.યુએસએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો પુતિનને ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમેરિકાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં રશિયા વિરુદ્ધ જાહેર કરાયેલા પ્રતિબંધો માત્ર શરૂઆત છે.

આ પણ વાંચો : Russia-Ukraine Conflict : સંભવિત યુદ્ધના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો દાવો, પહેલીવાર એરસ્પેસમાં રશિયાના વિમાનની ઘૂસણખોરી

આ પણ વાંચો : Russia-Ukraine Conflict : યૂક્રેન વિવાદ પર UNSCની ઇમરજન્સી બેઠક શરૂ, કહ્યું કે, રશિયા પોતાના સૈનિકોને રોકે

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">