કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે( Ravi Shankar Prasad) બુધવારે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર(Twittor) પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં કેન્દ્રીય કાયદા પ્રધાને ટ્વિટર(Twittor) પર કુ પર અનેક પોસ્ટ કરીને ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે ટ્વિટરને અનેક તકો આપવામાં આવ્યા પછી પણ તે માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.
ટ્વિટરને આ દિશાનિર્દેશોનું પાલન કરવાની ઘણી તકો આપવામાં આવી
રવિશંકર પ્રસાદે( Ravi Shankar Prasad )કહ્યું કે, ટ્વિટર સલામત પ્લેટફોર્મ છે કે કેમ તે અંગે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતની હકીકત એ છે કે 26 મેથી અમલમાં આવેલા નવા આઇટી કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે. આ સિવાય ટ્વિટર(Twittor) ને આ દિશાનિર્દેશોનું પાલન કરવાની ઘણી તકો આપવામાં આવી હતી. પરંતુ તે જાણી જોઈને તેમનું પાલન કર્યુ નથી.
There are numerous queries arising as to whether Twitter is entitled to safe harbour provision. However, the simple fact of the matter is that Twitter has failed to comply with the Intermediary Guidelines that came into effect from the 26th of May.
— Ravi Shankar Prasad (@rsprasad) June 16, 2021
મીડિયામાં કરે છે હેરફેર
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ તેના વિશાળ ભૂગોળની જેમ બદલાતી રહે છે. કેટલાક દૃશ્યોમાં ઇન્ટરનેટ મીડિયાના પ્રસાર સાથે, એક નાની બાબત પણ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. બનાવટી સમાચારોની ભય સૌથી વધારે રહે છે. આ બધાને ધ્યાનમાં રાખીને આઇટીના નવા નિયમો લાવવામાં આવ્યા હતા. ટ્વિટરે દેશના કાયદાની જેમ તેના ફરજિયાત અમલની પ્રક્રિયાને અનુસરવાનો ઇનકાર કરીને ટ્વિટર યુઝર્સની ફરિયાદોને દૂર કરવા માટે કોઈ સિસ્ટમ બનાવી નથી. આ ઉપરાંત તે ફ્લેગ કરવાની નીતિ અપનાવે છે અને મીડિયામાં હેરફેર કરે છે.
The rule of law is the bedrock of Indian society. India’s commitment to the constitutional guarantee of freedom of speech was yet again reaffirmed at the G7 summit.
— Ravi Shankar Prasad (@rsprasad) June 16, 2021
ટ્વિટર સામે ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે
કેન્દ્રની સતત ચેતવણીઓને પગલે ટ્વિટર ઇન્ટરનેટ મીડિયાના નવા નિયમોનું પાલન કરવા સંમત થયું છે. નવા નિયમોનું પાલન ન કરવા બદલ સરકારે ટ્વિટર પાસેથી આઇટી એક્ટ હેઠળ રક્ષણનો અધિકાર પાછો ખેંચી લીધો છે. હવે જો કોઈ પણ પ્રકારની ફરિયાદ મળે તો ટ્વિટર સામે ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે. 5 જૂને સરકારે નવા નિયમોનું પાલન કરવાની અંતિમ ચેતવણી આપી હતી. તે નવા નિયમો સ્વીકારવા તૈયાર છે.
કાયદાનું શાસન ભારતીય સમાજનો પાયો
તેમણે કહ્યું કે કાયદાનું શાસન ભારતીય સમાજનો પાયો છે. જી 7 સમિટમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની બંધારણીય બાંયધરી પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. જો કે વિદેશી સંસ્થા પોતાને અભિવ્યકિતની સ્વતંત્રતાના લીડર હોવાથી તેમને કાયદામાંથી મુકિત મળી શકે છે તેમ માને છે. તો આ પ્રયાસ ખોટો છે.
Published On - 6:00 pm, Wed, 16 June 21