રાજ્ય ગૃહપ્રધાનોની ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જાણો શું છે હેતુ

ચિંતન શિબિરમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોનું આધુનિકીકરણ, આઈ.ટીના વધતા ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

રાજ્ય ગૃહપ્રધાનોની ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જાણો શું છે હેતુ
HM Amit Shah Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:41 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) રાજ્યોના ગૃહ પ્રધાનોની ‘ચિંતન શિબિર’ની બે બેઠકોની અધ્યક્ષતા કરશે. આ બેઠક 27 અને 28 ઓક્ટોબર 2022ના રોજ હરિયાણાના સૂરજકુંડ ખાતે યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 28 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધિત કરશે. ચિંતન શિવિરમાં રાજ્યોના ગૃહ મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકો ભાગ લેશે. આ કેમ્પમાં રાજ્યોના ડીજીપી અને હોમ સેક્રેટરી પણ ભાગ લેશે. આ ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ “વિઝન 2047” અને પંચ પ્રાણના અમલીકરણ માટેની યોજના તૈયાર કરવાનો છે.

ચિંતન શિબિરમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોનું આધુનિકીકરણ, આઈ.ટીના વધતા ઉપયોગ, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાકાંઠાની સુરક્ષા અને આંતરિક સુરક્ષા સંબંધિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરમાં દેશમાં મહિલાઓની સુરક્ષા અને તેમના માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

7-8 સત્ર યોજાશે

ચિંતન શિબિરનો ઉદ્દેશ ઉપરોક્ત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય નીતિ ઘડતર અને બહેતર આયોજન અને સંકલનને સરળ બનાવવાનો પણ છે. ગૃહમંત્રીઓની બે દિવસીય ચિંતન શિબિરમાં સાતથી આઠ સત્રો થશે. કેમ્પના પ્રથમ દિવસે હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન, એનિમી પ્રોપર્ટી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે સાયબર સિક્યોરિટી, ડ્રગ હેરફેર, મહિલા સુરક્ષા અને બોર્ડર મેનેજમેન્ટ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બેઠકમાં સેફ સિટી પ્રોજેક્ટ, 112-સિંગલ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, જિલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમો, પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક અને માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખ કાર્ડ જેવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિરના ઉદ્ઘાટન અને સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે નિવેદન આપશે. બેઠકમાં સાત અને આઠ રાજ્યો સુરક્ષા મુદ્દે પ્રેઝન્ટેશન આપશે.

વિવિધ વિષયો પરના સત્રોનો હેતુ આ મુદ્દાઓ પર રાજ્ય સરકારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને તેની ખાતરી કરવાનો છે. ખાસ વાત એ છે કે ઘણા રાજ્યોના ગૃહમંત્રી ત્યાંના મુખ્યમંત્રી છે તો દેશના મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ આ ચિંતન શિબિરમાં સામેલ થશે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન આ બેઠકમાં ભાગ લેશે કે કેમ તેના પર સૌની નજર રહેશે. છેલ્લી બંગાળની ચૂંટણી પછી ગૃહમંત્રી અમિત શાહની બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈ થઈ નથી. 27 ઓક્ટોબરે ચિંતન રેલી પહેલા ગૃહમંત્રી ફરીદાબાદમાં જ યોજાનાર અન્ય એક કાર્યક્રમમાં શિલાન્યાસ અને વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. ગૃહમંત્રી શહેરના હુડા મેદાન ખાતે રેલીને સંબોધશે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">