AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uniform Civil Code Uttarakhand: ઉત્તરાખંડમાં 13 દિવસમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાવવામાં આવશે, સીએમ પુષ્કર ધામીનું મોટું નિવેદન

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (CM Pushkar Dhami) ઉત્તરકાશીના જાખોલમાં કહ્યું કે અમે 13 દિવસમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો (Uniform Civil Code) લાવીશું.

Uniform Civil Code Uttarakhand: ઉત્તરાખંડમાં 13 દિવસમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો લાવવામાં આવશે, સીએમ પુષ્કર ધામીનું મોટું નિવેદન
Pushkar singh dhami (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 7:29 PM
Share

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (CM Pushkar Dhami) શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. સીએમએ ઉત્તરકાશીના જાખોલમાં કહ્યું કે અમે 13 દિવસમાં સમાન નાગરિક સંહિતાનો કાયદો (Uniform Civil Code) લાવીશું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી (Uttarkashi) જિલ્લાના મોરી બ્લોકના જાખોલ ગામમાં બિસુ મેળામાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ મેળાનું મહત્વ ધર્મ અને આસ્થા તેમજ લોક સંસ્કૃતિ અને સંવર્ધન સાથે જોડાયેલું છે. આ સાથે સીએમ ધામીએ વિસ્તાર માટે ઘણી મોટી જાહેરાતો પણ કરી હતી.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર પુરોલા અને તેની આસપાસના વિસ્તારને બાગાયત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે કામ કરશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરીને બ્લોક મોરી હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર તરીકે અપગ્રેડ કરવામાં આવશે. પુરોલા બ્લોકમાં સ્વ.બરફિયા લાલ જુવાંથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને સબ ડિસ્ટ્રિક્ટ મેડિકલ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. નૌગાંવ બ્લોકમાં સ્થિત બર્નિગાર્ડ ખાતે નવા સત્રમાં ડિગ્રી કોલેજની સ્થાપના કરવામાં આવશે. મોરી-નેટવાડ઼-સાંકરી-જાખોલ મોટર રોડનો યોગ્ય આયોજનમાં સમાવેશ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ અહીં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશની સાથે ઉત્તરાખંડનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાનની વિચારસરણી મુજબ ઉત્તરાખંડમાં થયેલા વિકાસ કાર્યો પર પુરોલાની જનતાએ મહોર લગાવી છે. આ માટે મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી ચારધામ યાત્રા પર કોરોનાની અસર જોવા મળી રહી છે, પરંતુ આ વખતે યાત્રા મોટા પાયે ચાલશે, જેના માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આ વખતે ચારધામ યાત્રામાં આવનારા દેશ અને વિશ્વના ભક્તોને કોઈ અગવડતા ન પડે, મુખ્યમંત્રીએ કહ્યું કે અમે અતિથી દેવો ભવના સૂત્ર સાથે ચાલીએ છીએ.

ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કમિટીની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી

ગુરુવારે, સમાન નાગરિક સંહિતાના મુદ્દા પર, સીએમ ધામીએ કહ્યું હતું કે ઉત્તરાખંડ કેબિનેટ દ્વારા સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સમિતિની રચનાની મંજૂરી સાથે, તેના અમલીકરણ તરફ પ્રથમ પગલું લેવામાં આવ્યું છે. ધામીએ કહ્યું કે બંધારણની કલમ 44 તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતાની જોગવાઈ કરે છે અને સર્વોચ્ચ અદાલતે પણ તેના આદેશોમાં સમયાંતરે તેનો અમલ કરવા જણાવ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, “ચૂંટણી પહેલા આપેલા અમારા વચનને પરિપૂર્ણ કરીને, અમે કેબિનેટની પહેલી જ બેઠકમાં સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.” તેમણે કહ્યું કે કાનૂની નિષ્ણાતો અને અન્ય હિતધારકોની બનેલી આ સમિતિ તમામના મંતવ્યોમાંથી પસાર થશે અને કોડનો ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા તમામ વિભાગો સાથે સંકલન કરશે.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ

આ પણ વાંચો: PM મોદીએ કચ્છમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરતાં કહ્યું, આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડોક્ટરો મળશે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">