AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ

કમિશનરની નિમણૂકનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની (Kashi Vishwanath temple-Gyanvapi mosque dispute) મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તહેનાત કરવામાં આવે.

કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ
KASHI VISHWANATH GYAN (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 4:25 PM
Share

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Kashi Vishwanath Gyanvapi Mosque Dispute) અંગે વારાણસી કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે જેથી કોઈ વિવાદ ન થાય. જણાવી દઈએ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પાસેથી પરિસરની તપાસ અને વીડિયોગ્રાફી માટે આદેશની માંગ કરવામાં આવી હતી.

2020 માં અરજી દાખલ કરવામાં આવી હતી

સપ્ટેમ્બર 2020 ના રોજ, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને હિન્દુઓને સોંપવાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા અદાલતે આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે પોતાનો આદેશ સંભળાવ્યો. જેમાં અરજદારોએ કોર્ટ પાસે પરિસરની તપાસ અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. અરજીકર્તાની માગણી છે કે આ જગ્યા હિંદુ દેવી-દેવતાઓને પરત સોંપવામાં આવે.

સુરક્ષા દળોને તહેનાત કરવાનો આદેશ

આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે વારાણસી કોર્ટે કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે કમિશનર 19 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની મુલાકાત લે અને ત્યાં વિડિયોગ્રાફી કરે. આ સાથે તેમણે સુરક્ષા દળોને તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિ ઉભી ન થાય.

આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર

આ પણ વાંચો: Technology News: વ્હોટ્સએપ 32 લોકોને ગ્રુપ વૉઇસ કૉલ અને મોટી ફાઇલ શેરિંગની આપશે મંજૂરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">