કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ

કમિશનરની નિમણૂકનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની (Kashi Vishwanath temple-Gyanvapi mosque dispute) મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તહેનાત કરવામાં આવે.

કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મોટો નિર્ણય, કોર્ટે કમિશનરની નિમણૂક કરી; 19મી એપ્રિલે વીડિયોગ્રાફી કરાવવા આદેશ
KASHI VISHWANATH GYAN (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 4:25 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં (Varanasi) કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Kashi Vishwanath Gyanvapi Mosque Dispute) અંગે વારાણસી કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે, તેમણે 19 એપ્રિલે મંદિર-મસ્જિદ સંકુલની મુલાકાત લેવી જોઈએ અને વીડિયોગ્રાફી કરાવવી જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે જેથી કોઈ વિવાદ ન થાય. જણાવી દઈએ કે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ પાસેથી પરિસરની તપાસ અને વીડિયોગ્રાફી માટે આદેશની માંગ કરવામાં આવી હતી.

2020 માં અરજી દાખલ કરવામાં આવી હતી

સપ્ટેમ્બર 2020 ના રોજ, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને હિન્દુઓને સોંપવાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લા અદાલતે આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે પોતાનો આદેશ સંભળાવ્યો. જેમાં અરજદારોએ કોર્ટ પાસે પરિસરની તપાસ અને વિડિયોગ્રાફી માટેનો આદેશ માંગ્યો હતો. અરજીકર્તાની માગણી છે કે આ જગ્યા હિંદુ દેવી-દેવતાઓને પરત સોંપવામાં આવે.

સુરક્ષા દળોને તહેનાત કરવાનો આદેશ

આ અરજી પર સુનાવણી કરતા શુક્રવારે વારાણસી કોર્ટે કમિશનરની નિમણૂક કરવાનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો કે કમિશનર 19 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની મુલાકાત લે અને ત્યાં વિડિયોગ્રાફી કરે. આ સાથે તેમણે સુરક્ષા દળોને તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિ ઉભી ન થાય.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: Gir somnath: 19 ગામોના 1300થી વધુ ખેડૂતો માલવાહક બ્રોડગેજ રેલવે લાઈનને લઇને ચિંતામાં, ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવે પ્રોજેક્ટમાં સંપાદિત થવાનો ડર

આ પણ વાંચો: Technology News: વ્હોટ્સએપ 32 લોકોને ગ્રુપ વૉઇસ કૉલ અને મોટી ફાઇલ શેરિંગની આપશે મંજૂરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">