અહીં દર્શન બાદ જ મળશે ચારધામ યાત્રાનું ફળ ! જાણો ઉત્તરકાશીના વિશ્વનાથનો મહિમા

ઉત્તરાખંડની માન્યતા અનુસાર ચારધામની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી મનાતી કે જ્યાં સુધી તમે ઉત્તરકાશીના વિશ્વનાથના દર્શન ન કરી લો ! કારણ કે ઉત્તરાખંડમાં તો અહીં મંદિરમાં બિરાજમાન વિશ્વનાથનો જ જ્યોતિર્લિંગ સરીખો મહિમા છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:48 PM

કાશી (kashi) એટલે તો એ નગરી કે જે દેવાધિદેવને સૌથી વધુ પ્રિય મનાય છે. વારાણસીમાં દેવાધિદેવ મહાદેવ એ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ રૂપે વિદ્યમાન થયા છે. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર વરુણા અને અસિના તટ પર વસેલી આ નગરી તો મોક્ષની પ્રાપ્તિ કરાવનારી નગરી છે. પણ, શું તમને ખબર છે ભારતની બીજી એક નગરીને પણ અદ્દલ કાશી સમાન જ માન્યતા પ્રાપ્ત છે ? આજે અમે આપને જણાવીશું ઉત્તરકાશીના (uttarkashi) ‘કાશી વિશ્વનાથ’નો મહિમા. ઉત્તર પ્રદેશના વારાણસી એટલે કે કાશીની મહત્તા તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ, કહે છે કે આ કાશીના દર્શન સમાન જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારા તો છે ઉત્તરકાશીમાં વિદ્યમાન ‘વિશ્વનાથ મહાદેવ’. (kashi vishwanath temple)

ઉત્તરકાશીનું કાશી વિશ્વનાથ મંદિર એ હરિદ્વારથી લગભગ 197 કિલોમીટરના અંતરે સ્થિત છે. યમુનોત્રી અને ગંગોત્રીના દર્શને જનારા લોકો માટે ઉત્તરકાશી જ મુખ્ય પડાવ છે. માન્યતા અનુસાર ચારધામની યાત્રાએ જનારા સર્વ પ્રથમ ઉત્તરકાશીના વિશ્વનાથ મહાદેવના જ આશીર્વાદ લે છે અને ત્યારબાદ જ ચારધામની યાત્રાનો પ્રારંભ કરે છે. અહીંની માન્યતા અનુસાર ચારધામની યાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી મનાતી કે જ્યાં સુધી તમે આ સ્થાનકમાં દર્શને ન આવો. કારણ કે, ઉત્તરાખંડમાં તો અહીં મંદિરમાં બિરાજમાન વિશ્વનાથનો જ જ્યોતિર્લિંગ સરીખો મહિમા છે.

ઉત્તરકાશીના કાશી વિશ્વનાથ એ સૌમ્ય વિશ્વનાથ તરીકે પૂજાય છે. કારણ કે તેમનું તો સ્વરૂપ જ અત્યંત સૌમ્ય ભાસે છે. માન્યતા અનુસાર ભક્તોને દર્શન માત્રથી પરમશાંતિની અનુભૂતિ કરાવે છે આ વિશ્વનાથ. ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગમાં નવમા સ્થાને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો મહિમા છે. ત્યારે આ મંદિર વરુણાવત પર્વતની તળેટીમાં વસ્યું છે. આ સ્થાન પર અસિ નદીના જળ એ ભાગીરથી એટલે કે ગંગામાં એકરૂપ થાય છે. આ વરુણા અને અસિ શબ્દના જોડાવાથી વારણસી શબ્દ બને છે. અને કહે છે કે તે જ દ્વાદશ જ્યોતિર્લિંગના “વારાણસ્યાં તું વિશ્વેશં શબ્દોને સાર્થક કરે છે !

સ્કંદ પુરાણના કેદારખંડમાં આ સ્થાનનો ‘બાડાહાટ’ તરીકે ઉલ્લેખ મળે છે. દંતકથા અનુસાર આ ધરા પર સર્વ પ્રથમ મંદિરનું નિર્માણ સ્વયં પરશુરામજીએ કરાવ્યું હતું. આજે તો આ સ્થાન ઉત્તરાખંડમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

આ પણ વાંચોઃ પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">