Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ‘ દરેક મિનિટ કિંમતી’

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના દુ:ખદ સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.'

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ' દરેક મિનિટ કિંમતી'
Rahul Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:40 PM

Ukraine Russia War : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં(Kharkiv)  ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારને (Indian Government) તમામ ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વ્યૂહરચના ઘડવા હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે,વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) મંગળવારે એક ટ્વિટમાં મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાનગૌદાર કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું પુનરોચ્ચાર કરું છું કે ભારત સરકારને સલામત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે.દરેક મિનિટ કિંમતી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ નવીનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સરકારને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી બહાર કાઢવા માટે પણ વિનંતી કરી હતી.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પ્રિયંકા ગાંધીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દુ:ખની આ ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાના તમામ પ્રયાસો કરે.

આ પણ વાંચો  : UP Election: છઠ્ઠા તબક્કામાં સપાના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, રામ ગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ અને માતા પ્રસાદ સામે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચો  : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">