AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ‘ દરેક મિનિટ કિંમતી’

કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતના દુ:ખદ સમાચારથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.'

Ukraine Russia War : ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું ' દરેક મિનિટ કિંમતી'
Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:40 PM
Share

Ukraine Russia War : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં(Kharkiv)  ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારને (Indian Government) તમામ ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વ્યૂહરચના ઘડવા હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે,વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) મંગળવારે એક ટ્વિટમાં મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાનગૌદાર કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું પુનરોચ્ચાર કરું છું કે ભારત સરકારને સલામત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે.દરેક મિનિટ કિંમતી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ નવીનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સરકારને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી બહાર કાઢવા માટે પણ વિનંતી કરી હતી.

પ્રિયંકા ગાંધીએ પણ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દુ:ખની આ ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાના તમામ પ્રયાસો કરે.

આ પણ વાંચો  : UP Election: છઠ્ઠા તબક્કામાં સપાના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, રામ ગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ અને માતા પ્રસાદ સામે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચો  : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">