AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

એક દિવસ પહેલા સોમવારે સવારે 3 વાગે સેક્ટર-31ના સીએનજી પંપ પર બદમાશોએ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો હતો. સશસ્ત્ર બદમાશોએ CNG પંપ પર ફરજ પર રહેલા મેનેજર સહિત બે કર્મચારીઓની હત્યા કરી નાખી.

Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે
Police - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:13 PM
Share

દિલ્હીને (Delhi) અડીને આવેલા ગુરુગ્રામના (Gurugram) સેક્ટર-31માં સ્થિત એક બંધ મકાનમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. અહીંના સેક્ટર 31માં સીએનજી પેટ્રોલ પંપની પાસે એક ખાલી ઈમારતમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે મંગળવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ આ માહિતી આપી હતી. એક દિવસ પહેલા સેક્ટર 31માં જ ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે પોલીસને ખાલી પડેલા મકાનમાં ગ્રેનેડ અને ડેટોનેટર છૂપાવવાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) રાજીવ દેસવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમની સાથે સ્થાનિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ હાજર છે. પોલીસે બિલ્ડીંગની આસપાસ બેરીકેટ લગાવી દીધા છે. આ વિસ્તારમાં વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને તેમનો માર્ગ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય ત્યાં લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઘરની આસપાસ પોલીસ બેરિકેડિંગ

આ અંગે જ્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈપણ માહિતી આપવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘર સીએનજી પંપથી થોડાક મીટર દૂર આવેલું છે જેના ત્રણ કર્મચારીઓ પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી.

પોલીસે ઘરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે, તમામ વાહનોને આ વિસ્તારમાંથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને રાહદારીઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે.

CNG પંપ પર મેનેજર સહિત બે કર્મચારીઓની હત્યા

એક દિવસ પહેલા સોમવારે સવારે 3 વાગે સેક્ટર-31ના સીએનજી પંપ પર બદમાશોએ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો હતો. સશસ્ત્ર બદમાશોએ CNG પંપ પર ફરજ પર રહેલા મેનેજર સહિત બે કર્મચારીઓની હત્યા કરી નાખી. ઘટનાસ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ આયોજનબદ્ધ રીતે આ ગુનાને અંજામ આપ્યો હતો. ઘટના પહેલા બદમાશોએ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરાને ડિસ્કનેક્ટ કરી દીધા હતા. આ પછી એક પછી એક મેનેજર સહિત બંને કર્મચારીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : UP Election: છઠ્ઠા તબક્કામાં સપાના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, રામ ગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ અને માતા પ્રસાદ સામે ગઢ બચાવવાનો પડકાર

આ પણ વાંચો : Jammu Kashmir: અનંતનાગની મેટરનિટી હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી, અનેક લોકો ઘાયલ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">