Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- આપણા દેશને કાર્યવાહીની જરૂર છે, પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણી કેન્દ્ર સરકારને તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી હતી.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- આપણા દેશને કાર્યવાહીની જરૂર છે, પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે
Rahul Gandhi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:04 PM

યુક્રેન (Ukraine) પર રશિયાના હુમલા બાદ, ભારત તેના ફસાયેલા નાગરિકોને બચાવવા માટે કામગીરી તેજ કરી રહ્યું છે. યુક્રેનની એરસ્પેસ બંધ કર્યા પછી, ભારત રોમાનિયા, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયા સાથેની સરહદ ચોકીઓ દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેઓ માત્ર દેશનું ધ્યાન ભટકાવે છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આપણા દેશને કાર્યવાહીની જરૂર છે. પીએમ માત્ર ધ્યાન ભટકાવે છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે રોમાનિયાની રાજધાની બેકારેસ્ટથી 198 ભારતીય નાગરિકોને લઈને ચોથી ફ્લાઈટ રવિવારે ભારત જવા રવાના થઈ છે. શનિવારે સાંજે 219 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઈટ બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી.

250 નાગરિકોને લઈને બીજી ફ્લાઈટ રવિવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. લગભગ 240 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ત્રીજી ફ્લાઈટ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી. ભારતે આ ઈવેક્યુએશન ઓપરેશનને ‘ઓપરેશન ગંગા’ નામ આપ્યું છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકના કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો શેર કર્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણી કેન્દ્ર સરકારને તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવાની અપીલ કરી હતી. ગાંધીએ કર્ણાટકના કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનો વીડિયો શેર કર્યો છે જેઓ યુક્રેનના બંકરમાં ફસાયેલા છે. રશિયાની સેનાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકરને પણ પત્ર લખીને યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોને પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

યુક્રેનમાં ફસાયેલી બે ભારતીય વિદ્યાર્થિનીઓનો વીડિયો શેર કરતાં ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, બંકરમાં ભારતીય વિદ્યાર્થીઓનું આ દ્રશ્ય હેરાન કરનારું છે. ઘણા વિદ્યાર્થીઓ પૂર્વ યુક્રેનમાં ફસાયેલા છે, જ્યાં ભયાનક હુમલો થઈ રહ્યો છે. હું તેમના ચિંતિત પરિવાર સાથે છું. હું ફરી એકવાર ભારત સરકારને અપીલ કરું છું કે તેઓ તેમને તાત્કાલિક પરત લાવે.

ગાંધી અને તેમનો પક્ષ યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને બચાવવા માટે ઝડપી પગલાં લેવા સરકારને વિનંતી કરી રહ્યા છે. કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને ઘરે પરત ફરવા માટે બેચેન છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : Russia Ukraine War: ભારતીય દૂતાવાસ દ્વારા તેના નાગરિકોને અપીલ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, સરહદ ચોકીઓ પર જવાનું ટાળો

આ પણ વાંચો : કોંગ્રેસનો કેન્દ્ર પર હુમલો, રણદીપ સુરજેવાલાએ કહ્યું- યુક્રેનમાં ભારતીય નાગરિકો અટવાયેલા છે અને પીએમ મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">