AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત

વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું હતુ.

ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત
External Affairs Minister S Jaishankar and Maldives President Ibrahim Mohamed Solih
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:14 AM
Share

ભારત અને માલદીવ શનિવારે એકબીજા દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 રસીના પ્રમાણપત્રોને (Covid 19 Vaccine Certificate) પરસ્પર માન્યતા આપવા સહમત થયા હતા. આ પગલાથી બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બનશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. માલદીવના (Maldiv) વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (DR S Jaishankar) માલદીવને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સફળતા મેળવવાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે આજે કોવિડ-19 પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા ભારત અને માલદીવ વચ્ચેની (India Maldiv Relations) મુસાફરીને સરળ બનાવશે. તમને જણાવી દઈએ કે માલદીવમાં પ્રવાસીઓ માટે ભારત ટોચનું સ્થાન ધરાવે છે.

 ભારત અને માલદીવ વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાઈરસ રોગચાળા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહના માર્ગદર્શન હેઠળ અમારા સંબંધોમાં આ વર્ષે ઝડપી પ્રગતિ જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્ષેત્રમાં સ્થિરતા છે, અમારી સહિયારી જવાબદારી તેને પોષશે અને સંબધોને વધુ મજબૂત કરશે.

માલદીવના વિદેશ મંત્રીએ એરપોર્ટ પર એસ જયશંકરનું સ્વાગત કર્યું

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમારી પારદર્શક વિકાસ ભાગીદારી માલદીવની જરૂરિયાત અને પ્રાથમિકતા પર આધારિત છે અને આજે તે વધીને 2.6 ડોલર બિલિયન થઈ ગઈ છે. ભારતે ગયા વર્ષે માલદીવને કોવિશિલ્ડ રસીના બે લાખથી વધુ ડોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું.

દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પ્રયાસ

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ સાથે મળીને હાથ ધરવામાં આવી રહેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે સંખ્યાબંધ કરારો પર હસ્તાક્ષર કરશે.

આ પણ વાંચો :  Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા

આ પણ વાંચો : Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">