ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત

વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું હતુ.

ભારત અને માલદીવ વચ્ચે મુસાફરી બનશે સરળ, બંને દેશો આ બાબત પર થયા સહમત
External Affairs Minister S Jaishankar and Maldives President Ibrahim Mohamed Solih
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:14 AM

ભારત અને માલદીવ શનિવારે એકબીજા દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 રસીના પ્રમાણપત્રોને (Covid 19 Vaccine Certificate) પરસ્પર માન્યતા આપવા સહમત થયા હતા. આ પગલાથી બંને દેશો વચ્ચે મુસાફરી સરળ બનશે અને પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. માલદીવના (Maldiv) વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે (DR S Jaishankar) માલદીવને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન સફળતા મેળવવાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે આજે કોવિડ-19 પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા ભારત અને માલદીવ વચ્ચેની (India Maldiv Relations) મુસાફરીને સરળ બનાવશે. તમને જણાવી દઈએ કે માલદીવમાં પ્રવાસીઓ માટે ભારત ટોચનું સ્થાન ધરાવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

 ભારત અને માલદીવ વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, કોરોના વાઈરસ રોગચાળા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સાલેહના માર્ગદર્શન હેઠળ અમારા સંબંધોમાં આ વર્ષે ઝડપી પ્રગતિ જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્ષેત્રમાં સ્થિરતા છે, અમારી સહિયારી જવાબદારી તેને પોષશે અને સંબધોને વધુ મજબૂત કરશે.

માલદીવના વિદેશ મંત્રીએ એરપોર્ટ પર એસ જયશંકરનું સ્વાગત કર્યું

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમારી પારદર્શક વિકાસ ભાગીદારી માલદીવની જરૂરિયાત અને પ્રાથમિકતા પર આધારિત છે અને આજે તે વધીને 2.6 ડોલર બિલિયન થઈ ગઈ છે. ભારતે ગયા વર્ષે માલદીવને કોવિશિલ્ડ રસીના બે લાખથી વધુ ડોઝ આપ્યા હતા. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે શનિવારે માલે પહોંચ્યા હતા. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે માલે એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કર્યું.

દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પ્રયાસ

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ સાથે મળીને હાથ ધરવામાં આવી રહેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે સંખ્યાબંધ કરારો પર હસ્તાક્ષર કરશે.

આ પણ વાંચો :  Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા

આ પણ વાંચો : Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">