AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે.

Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા
Jammu And Kashmir - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:14 PM
Share

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ  (terrorists) તેમની નાપાક હરકતો બંધ કરી રહ્યા નથી. શનિવારે બડગામના (Chattabugh area of Budgam) ચટ્ટાબાગ વિસ્તારમાં આતંકવાદીઓએ એક વિશેષ પોલીસ અધિકારીની (Special Police Officer) ગોળી મારીને હત્યા કરી હતી. ગોળી વાગ્યા બાદ એસપીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. તે જ સમયે આતંકવાદીઓએ તેના ભાઈને પણ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પહેલા ગયા સોમવારે કાશ્મીર ખીણના બડગામમાં આતંકવાદીઓએ એક નિર્દોષ સ્થાનિક નાગરિકની હત્યા કરી હતી. તજમુલ મોહિઉદ્દીનની બડગામ જિલ્લાના ગોતપોરા વિસ્તારમાં તેના ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક સંક્ષિપ્ત અથડામણમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થયો હતો જ્યારે એક આતંકવાદી ઘાયલ થયો હતો.

ઘાટીમાં આતંકવાદીઓનું નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીને કારણે જ આતંકવાદીઓ બોખલાયા છે. આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી હતી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા

તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સુરક્ષાની સ્થિતિમાં સુધારાને લઈને  2018 માં થયેલી 417 આતંકી ઘટનાઓ ઘટીને 2021 માં 229 થઈ અને  2018માં શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોની સંખ્યા 91 થી ઘટીને 2021 માં 42 થવા બદલ પ્રશંસા કરી હતી. અમિત શાહે આતંકવાદીઓ વિરુદ્ધ સક્રિય કાર્યવાહી અને તેમને સુરક્ષિત આશ્રય અથવા આર્થિક મદદ ન આપવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો :  ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">