AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત

આ ભયાનક અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

Andhra Pradesh: સગાઈ માટે તિરુપતિ જઈ રહેલી બસ ખીણમાં પડી, 5ના મોત, 40 લોકો ઈજાગ્રસ્ત
Bus Accident in andhra pradesh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 6:37 AM
Share

આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)માં શનિવારે સગાઈ માટે તિરુપતિ (Tirupatiજઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ સંતુલન ગુમાવતા ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ મામલો અનંતપુર જિલ્લાના (Anantpur District) ધર્માવરમનો છે, જ્યાં સગાઈ માટે શનિવારે લગભગ 50 લોકો બસ દ્વારા તિરુપતિ જઈ રહ્યા હતા. તિરુપતિ નજીક ચિત્તૂર જિલ્લાના ભાકરાપેટ વિસ્તારમાં બસ પોતાનું સંતુલન ગુમાવી 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ ભયાનક અકસ્માતમાં(Accident) લગભગ 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તિરુપતિની રૂયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગંભીર અક્સ્માત સર્જાયો

મીડિયા અહેવાલો અનુસાર આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ ચારે બાજુ લોકોના શરીરના ટુકડા વિખરાયેલા જોયા. ચંદ્રગિરી પોલીસના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે એક ખાનગી બસ શનિવારે અનંતપુર જિલ્લાના ધર્માવરમથી તિરુપતિ જવા રવાના થઈ હતી. એક વળાંક પાર કરતી વખતે બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ નીચે ખીણમાં પડી હતી.

આ કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો

તમને જણાવી દઈએ કે, બસ ખાઈમાં પડતાં અનેક વૃક્ષો સાથે અથડાઈ હતી. અકસ્માત જોનારા લોકો પીડિતોને બચાવવા દોડી આવ્યા હતા અને ચંદ્રગિરી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. લગભગ 9 એમ્બ્યુલન્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને ફાયર બ્રિગેડના કર્મચારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અંધકાર અને ગાઢ જંગલને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો.

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં નવના મોત

બીજી તરફ રાજસ્થાનમાં (Rajsthan) ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે અજમેર જિલ્લામાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા.અજમેર કોટા હાઈવે પર લોહરવાડા ગામ પાસે એક SUV અને ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

મૃતકોની ઓળખ રિયાઝ ખાન, રૂખસાના, સુરૈયા પરવીન તરીકે થઈ છે. અન્ય એક અકસ્માતમાં શનિવારે ચિત્તોડગઢ જિલ્લામાં એક કાર ચાલતી ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર મયંક (29) અને તેનો નાનો ભાઈ ચિત્રાંશુ (27) ના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

આ પણ વાંચો : Jammu-Kashmir: આતંકવાદીઓ નથી બંધ કરી રહ્યા તેમની નાપાક હરકતો, બડગામમાં SPOની ગોળી મારીને કરી હત્યા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">