મારી પાર્ટી સત્તા પર આવશે તો 2થી વધુ બાળકો પેદા કરવા પર લગામ લગાવીશ : તોગડિયાનું વિવાદાસ્પદ નિવેદન
હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી દીધી છે. તેઓ પોતાની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યાં છે, જેના નામનું એલાન 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં તેઓ કરશે. પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા પ્રવિણ તોગડીયાએ ઈંદોર ખાતે મંગળવારના રોજ એક વધુ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું કે તેઓ પોતાની નવી પાર્ટી બનાવશે અને […]
હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી દીધી છે. તેઓ પોતાની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યાં છે, જેના નામનું એલાન 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં તેઓ કરશે.
પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા પ્રવિણ તોગડીયાએ ઈંદોર ખાતે મંગળવારના રોજ એક વધુ વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું કે તેઓ પોતાની નવી પાર્ટી બનાવશે અને સત્તામાં આવ્યા બાદ બે કરતાં વધારે સંખ્યામાં બાળકો પેદા કરવા સામે પ્રતિબંધ લગાવશે. તેમણે કહ્યું કે વધારે પ્રમાણમાં જનસંખ્યા એ દેશના વિકાસ માટે નડતરરુપ છે.
તેમણે આ બાબતે ટિપ્પણી કરતાં ત્યાં સુધી કહી દીધું કે જો તેમની પાર્ટી સત્તા પર આવશે તો બે કરતાં વધારે બાળકો પેદા કરનારને સરકારી અનાજ, સ્કૂલ અને હોસ્પિટલોમાં સુવિધા નહીં આપવામાં આવે. તેમને સરકારી નોકરી અને બેંક લોનની સુવિધામાંથી પણ બાકાત રાખવામાં આવશે અને ચુંટણી લડવા માટે પ્રતિબંધ લગાવી દેવાશે.
[yop_poll id=748]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]