દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે.

દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન
BJP MP Ravi Kishan Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 4:54 PM

ભાજપના સાંસદ રવિ કિશને (Ravi Kishan) અફઘાનિસ્તાનના કાબુલમાં અમેરિકા (America) દ્વારા માર્યા ગયેલા આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પર ખુશી વ્યક્ત કરી છે. તેણે મંગળવારે કહ્યું છે કે અમે આતંકવાદી અલ-જવાહિરીની (Ayman Al Zawahiri) હત્યા સાથે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરંતુ ભારતમાં પણ આવા ઘણા અલ-જવાહિરી છુપાયેલા છે. આ સાથે ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે ઘણા જવાહિરી દેશના કાશ્મીર અને આસામ જેવા કેટલાક વિસ્તારોમાં સક્રિય છે. બધા જવાહિરીને ખત્મ કરવા પડશે.

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે. તે જ સમયે અમેરિકી ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીના માર્યા ગયા પછી આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કે છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો કે અલ-કાયદાનો નેતા કાબુલના એક સેફ હાઉસમાં છે.

જવાહિરી 9/11ના હુમલા માટે જવાબદાર હતો

કાબુલમાં આ ઘર પર અમેરિકી ડ્રોન હુમલામાં જવાહિરી માર્યો ગયો હતો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે આ ઘર તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના નજીકનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં તેનો પુત્ર અને જમાઈ પણ માર્યા ગયા છે. અલ-ઝવાહિરી અને ઓસામા બિન લાદેને અમેરિકા પર 9/11ના હુમલાની યોજના બનાવી હતી. ઓસામા બિન-લાદેનને અમેરિકાએ 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં એક ઓપરેશનમાં માર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. યુએસ પ્રમુખ જો બાઈડેને સોમવારે જાહેરાત કરી હતી કે કાબુલમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) દ્વારા શનિવારે સાંજે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું. જવાહિરી તેના પરિવાર સાથે કાબુલના એક ઘરમાં છુપાયેલો હતો. હક્કાની નેટવર્કની રચના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી, તે એક આતંકવાદી સંગઠન છે.

જલાલુદ્દીન હક્કાની સોવિયત સેના સામેના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં બળવાખોર કમાન્ડર તરીકે ઉભરી આવ્યો હતો. સમાચાર મુજબ અમેરિકા પાસે ઘણી ગુપ્ત માહિતી છે જે પુષ્ટિ કરે છે કે જવાહિરી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. કહેવાય છે કે જવાહિરી લાંબા સમયથી પાકિસ્તાનમાં હતો.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">