AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે.

દેશમાં પણ છુપાયેલા છે ઘણા જવાહિરી, તેમને ખત્મ કરવા પડશે: ભાજપ સાંસદ રવિ કિશન
BJP MP Ravi Kishan Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 4:54 PM
Share

ભાજપના સાંસદ રવિ કિશને (Ravi Kishan) અફઘાનિસ્તાનના કાબુલમાં અમેરિકા (America) દ્વારા માર્યા ગયેલા આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરી પર ખુશી વ્યક્ત કરી છે. તેણે મંગળવારે કહ્યું છે કે અમે આતંકવાદી અલ-જવાહિરીની (Ayman Al Zawahiri) હત્યા સાથે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરંતુ ભારતમાં પણ આવા ઘણા અલ-જવાહિરી છુપાયેલા છે. આ સાથે ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે ઘણા જવાહિરી દેશના કાશ્મીર અને આસામ જેવા કેટલાક વિસ્તારોમાં સક્રિય છે. બધા જવાહિરીને ખત્મ કરવા પડશે.

ભાજપ સાંસદે કહ્યું કે એક જ જવાહિરીને મારવાથી આતંકવાદ ખતમ થતો નથી. જો એક આતંકવાદી માર્યો જાય છે તો આ લોકો મોટી સંખ્યામાં વધુ આતંકવાદીઓને તૈયાર કરે છે. તે જ સમયે અમેરિકી ડ્રોન હુમલામાં અયમાન અલ-ઝવાહિરીના માર્યા ગયા પછી આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કે છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો કે અલ-કાયદાનો નેતા કાબુલના એક સેફ હાઉસમાં છે.

જવાહિરી 9/11ના હુમલા માટે જવાબદાર હતો

કાબુલમાં આ ઘર પર અમેરિકી ડ્રોન હુમલામાં જવાહિરી માર્યો ગયો હતો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે આ ઘર તાલિબાન નેતા સિરાજુદ્દીન હક્કાનીના નજીકનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં તેનો પુત્ર અને જમાઈ પણ માર્યા ગયા છે. અલ-ઝવાહિરી અને ઓસામા બિન લાદેને અમેરિકા પર 9/11ના હુમલાની યોજના બનાવી હતી. ઓસામા બિન-લાદેનને અમેરિકાએ 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં એક ઓપરેશનમાં માર્યો હતો.

અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. યુએસ પ્રમુખ જો બાઈડેને સોમવારે જાહેરાત કરી હતી કે કાબુલમાં સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) દ્વારા શનિવારે સાંજે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું. જવાહિરી તેના પરિવાર સાથે કાબુલના એક ઘરમાં છુપાયેલો હતો. હક્કાની નેટવર્કની રચના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી, તે એક આતંકવાદી સંગઠન છે.

જલાલુદ્દીન હક્કાની સોવિયત સેના સામેના યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં બળવાખોર કમાન્ડર તરીકે ઉભરી આવ્યો હતો. સમાચાર મુજબ અમેરિકા પાસે ઘણી ગુપ્ત માહિતી છે જે પુષ્ટિ કરે છે કે જવાહિરી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. કહેવાય છે કે જવાહિરી લાંબા સમયથી પાકિસ્તાનમાં હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">