Truth About Kashmir Files: જાણો 32 વર્ષ પહેલા શું બન્યુ હતું કાશ્મીરી પંડિતો સાથે, તેમની હિજરત માટે કોણ હતું જવાબદાર?

The Kashmir Files and Story of Kashmiri Pandit Exodus: યાસીન મલિકથી તત્કાલીન રાજ્યપાલ જગમોહન અને કાશ્મીરી નેતા અબ્દુલ્લા-મુફ્તી સુધી, કાશ્મીરી પંડિતોની હિજરત વખતે કોની ભૂમિકા હતી?

Truth About Kashmir Files: જાણો 32 વર્ષ પહેલા શું બન્યુ હતું કાશ્મીરી પંડિતો સાથે, તેમની હિજરત માટે કોણ હતું જવાબદાર?
The Kashmir Files hidden face (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 2:27 PM

કાશ્મીરી પંડિતોના હિજરત પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં 1990ના તે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે, જેમા લાખો કાશ્મીરી પંડિતોએ આતંકવાદીઓના ડરથી ઘર છોડીને ભાગી જવું પડ્યું હતું. જો કે આ ઘટના કયા સંજોગોમાં બની હતી અને તે સમયે કયા કયા અગ્રણી ચહેરાઓ હતા, જે આ સમગ્ર ઘટના દરમિયાન સતત સામે આવતા રહ્યા હતા, તેની દેશમાં બહુ ચર્ચા થઈ નથી.

કાશ્મીરી પંડિત એટલે કાશ્મીરમાં રહેતા બ્રાહ્મણ સમુદાય. આ સમુદાય તેની શરૂઆતથી જ ઘાટીમાં લઘુમતી હતી. ચાલો જાણીએ કે કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી બહાર કાઢવા માટે કેવી રીતે નફરતનું વાવેતર કરવામાં આવ્યું?

શેખ અબ્દુલ્લા, 1975

જમ્મુ-કાશ્મીરમાં ધાર્મિક ઉન્માદ કેવી રીતે ભડક્યો તે સમજવા માટે 1975 તરફ વળવું પડશે. આ એ સમયગાળો હતો, જ્યારે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સુધારવા માટે શેખ અબ્દુલ્લા સાથે કરાર કર્યો હતો. આ સમજૂતી બાદ જ શેખ અબ્દુલ્લાને કાશ્મીરની સત્તા મળી. એવું કહેવાય છે કે ઈન્દિરા ગાંધી અને શેખ અબ્દુલ્લાની સમજૂતીનો કાશ્મીરની મોટાભાગની મુસ્લિમ વસ્તીએ વિરોધ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન પેપર મુજબ, શેખ અબ્દુલ્લાએ કરારના વિરોધને ડામવા માટે રાજ્યમાં અનેક સાંપ્રદાયિક ભાષણો આપ્યા હતા. 1980માં અબ્દુલ્લાએ 2,500 ગામોના નામ બદલીને ઈસ્લામિક નામો કરી દીધા. મુરાદાબાદમાં મુસ્લિમોની હત્યાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવી. એવું માનવામાં આવે છે કે આ તે સમયગાળો હતો, જ્યારે કાશ્મીર સંપૂર્ણ ઈસ્લામીકરણ તરફ ધકેલાઈ ગયું હતું. આ કારણે શ્રીનગરમાં કેટલાક તોફાનો પણ ફાટી નીકળ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, 1977

જમ્મુ અને કાશ્મીરનો એક વર્ગ હંમેશાથી અલગવવાદનો સમર્થક રહ્યો છે. જો કે, આ સંગઠનને આ પહેલા ક્યારેય કાશ્મીરમાં પોતાનો એજન્ડા ફેલાવવા માટે જગ્યા મળી નથી. પછી આ સંગઠને બ્રિટનમાં પ્લિબિસાઇટ ફ્રન્ટનું નામ બદલીને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) રાખ્યું. આ સંગઠને કાશ્મીરી પંડિતોના નરસંહારમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ સંગઠનના નેતા બિટ્ટા કરાટેએ 1991માં ન્યૂઝટ્રેકના પત્રકાર મનોજ રઘુવંશને આપેલા ઈન્ટરવ્યુમાં 30-40થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરવાનો દાવો પણ કર્યો હતો.

ગુલામ મોહમ્મદ શાહ, 1984

આગામી મહત્વની તારીખ 2 જુલાઈ, 1984 આવે છે, જ્યારે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધી સરકારે શેખ અબ્દુલ્લાના પુત્ર અને તત્કાલીન સીએમ ફારૂક અબ્દુલ્લાની સરકારને વિખેરી નાખી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા સરકારે કોંગ્રેસના લોકો અને કાશ્મીરી પંડિતો પર બર્બર હુમલાઓ કર્યા હતા. કોંગ્રેસે થોડા સમય બાદ ફારુક અબ્દુલ્લાના સાળા ગુલામ મોહમ્મદ શાહને મુખ્યમંત્રી બનાવ્યા.

પીએસ વર્માના પુસ્તક ‘જમ્મુ એન્ડ કાશ્મીર એટ ધ પોલિટિકલ ક્રોસરોડ્સ’ અનુસાર, કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગુલશાહ પાસેથી કાશ્મીરમાં તેમના વિચારોને અમલમાં મૂકવાની અપેક્ષા રાખતી હતી. જો કે, કોંગ્રેસની અપેક્ષાઓથી વિપરીત, શાહે કાશ્મીરને કટ્ટરપંથી ઇસ્લામના પક્ષમાંથી આગળ ધપાવવાનું શરૂ કર્યું.

ફેબ્રુઆરી 1986માં જ્યારે ગુલામ મોહમ્મદ શાહ મુખ્યમંત્રી હતા ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર હિંદુ-મુસ્લિમ રમખાણો થયા હતા. પછી શાહે સચિવાલયમાં મસ્જિદની સ્થાપના કરી. આ અંગે હિંદુઓએ પ્રદર્શન કર્યું અને જમ્મુથી કાશ્મીર સુધી જબરદસ્ત રમખાણો થયા. કાશ્મીર ખીણમાં ઉગ્રવાદીઓએ હિંદુઓના મંદિરો પણ તોડી નાખ્યા હતા. કહેવાય છે કે રમખાણોમાં 10થી વધુ કાશ્મીરી પંડિતો માર્યા ગયા હતા.

જગમોહન, 1986

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત ફાટી નીકળેલા રમખાણોને લઈને રાજ્યના તત્કાલિન ગવર્નર જગમોહને ગુલામ મોહમ્મદ શાહની સરકારને વિખેરી નાખી હતી. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે કટોકટીની સ્થિતિ સર્જાઈ, ત્યારે જગમોહન ભાજપ સમર્થિત રાજ્યપાલ હતા તે અંગે દેશભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, સત્ય એ હતું કે તેમના પ્રથમ કાર્યકાળમાં તેમને કોંગ્રેસ સરકારે રાજ્યપાલ બનાવ્યા હતા. તેઓ પૂરા પાંચ વર્ષ સુધી ગવર્નર રહ્યા અને આ તે સમય હતો, જ્યારે કાશ્મીરમાં સ્થિતિ બગડવા લાગી.

સૈયદ અલી શાહ ગિલાની-યાસિન મલિક, 1987-1990

રાષ્ટ્રપતિ શાસન હેઠળના એક વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં 1987માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં પહેલીવાર કાશ્મીરમાં કટ્ટરપંથી ઈસ્લામનું સમર્થન કરનારા સૈયદ અલી શાહ ગિલાનીએ પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. યાસીન મલિક જેવા અલગવવાદી નેતાઓ પણ તેમના સમર્થન અને અભિયાનમાં સામેલ હતા. આ નેતાઓએ ચૂંટણી માટે પોતાની પાર્ટી ‘મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટ’ની રચના કરી હતી. આ પક્ષ પાછળથી હુર્રિયત તરીકે ઓળખાયો.

1987માં યોજાયેલી આ ચૂંટણીઓમાં સતત ગેરરીતિના આરોપો લાગ્યા હતા. પરિણામોમાં જ્યારે ફારુક અબ્દુલ્લાને વિજેતા જાહેર કરવામાં આવ્યા, ત્યારે મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં સંપૂર્ણપણે ધાંધલ ધમાલ થઈ છે. અહીંથી જ MUF નેતાઓ એક પછી એક અલગાવવાદી નેતાઓ તરીકે ઓળખાવા લાગ્યા અને કાશ્મીરને કટ્ટરપંથી તરફ ધકેલવામાં આવ્યું. આ દરમિયાન ગિલાની માટે પ્રચાર કરનાર યાસીન મલિક પણ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો ભાગ બની ગયો હતો. આ રીતે લાંબા સમયથી ભારતની બહાર રહેલા JKLF(Jammu Kashmir Liberation Front)ની એન્ટ્રી શક્ય બની.

ટીકા લાલ ટપલુ, 1989

કાશ્મીરમાં હિંસા ફેલાવ્યા પછી, JKLFએ સૌપ્રથમ 14 સપ્ટેમ્બર 1989ના રોજ એક કાશ્મીરી પંડિતને નિશાન બનાવીને મારી નાખ્યા. આ ખીણના બીજેપી નેતા ટીકા લાલ ટપલુનું નામ હતું. આ પછી J&K હાઈકોર્ટના નિવૃત્ત જજ નીલકંઠ ગંજુને શ્રીનગરમાં હાઈકોર્ટની બહાર ફાંસી આપવામાં આવી હતી. આ તે સમયગાળો હતો જ્યારે ભારતમાં રામજન્મભૂમિ એક મોટા મુદ્દા તરીકે ઉભરી રહી હતી અને કેન્દ્રમાં રાજીવ ગાંધી સરકાર સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. બોફોર્સ કૌભાંડના આરોપો બાદ કોંગ્રેસ સરકાર પડી ગઈ.

વીપી સિંહ-મુફ્તી મોહમ્મદ સઈદ, 1989

કોંગ્રેસ સરકારના પતન પછી, વીપી સિંહના નેતૃત્વમાં 2 ડિસેમ્બર 1989ના રોજ જનતા દળની સરકાર બનાવવામાં આવી હતી. ત્યારે આ સરકારને લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા બહારથી ટેકો મળ્યો હતો. PM તરીકે, VP સિંહે કાશ્મીરના નેતા અને ફારુક અબ્દુલ્લાના કટ્ટર વિરોધી એવા મુફ્તી મોહમ્મદ સઈદને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સમયે કાશ્મીરમાં બગડતી પરિસ્થિતિ છતાં, મુફ્તીએ રાજ્યમાં મજબૂત રાજ્યપાલ મોકલવાની માંગ ઉઠાવી હતી.

જગમોહનનું નામ ફરી એકવાર આ પદ માટે ચર્ચામાં આવ્યું હતું, પરંતુ તેમની નિમણૂક થાય તે પહેલા જ જેકેએલએફના આતંકવાદીઓએ મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયાનું અપહરણ કરી લીધું હતું. સઈદના ગૃહમંત્રી બન્યાના છ દિવસ બાદ 8 ડિસેમ્બરે આ ઘટના બની હતી. આતંકવાદીઓએ રૂબિયાની મુક્તિ માટે કેટલાક વધુ આતંકવાદીઓને છોડવાની માંગ કરી હતી. આ પછી કેન્દ્ર સરકારે ઉતાવળમાં રૂબિયાને મુક્ત કરવા માટે ચાર દિવસમાં પાંચ આતંકવાદીઓને મુક્ત કર્યા.

જગમોહન વિ ફારૂક અબ્દુલ્લા, 1990

યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (ઇએફએસએએસ) અનુસાર, આ ઘટના પછી જ જેકેએલએફનો ઉત્સાહ વધવા લાગ્યો. આ આતંકવાદીઓએ ધીમે ધીમે કાશ્મીરના અખબાર આફતાબ અને અલ-સફામાં હિન્દુ વિરોધી જાહેરાતો આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર સાથે શેરીઓ અને ગલીઓમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા. મસ્જિદોમાંથી પણ પંડિતોને વહેલામાં વહેલી તકે ખીણ છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાઓને કારણે કાશ્મીરને લઈને વીપી સિંહ સરકારની મુસીબતો સતત વધી રહી છે. આખરે, મુફ્તી મોહમ્મદ સઈદના દબાણ હેઠળ, વી.પી. સિંહે ફરી એકવાર 19 જાન્યુઆરી 1990ના રોજ જગમોહનને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા.

ફારુક અબ્દુલ્લાએ પહેલા જ કેન્દ્ર સરકારને ધમકી આપી હતી કે જો જગમોહનને કાશ્મીરના રાજ્યપાલ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવશે તો તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી દેશે. ફારુકે કહ્યું કે જગમોહને તેમની સરકારનું વિસર્જન કરી દીધું છે, તેથી તેમને જગમોહન પર વિશ્વાસ નથી. ફારુકે જગમોહનની નિમણૂકના બીજા દિવસે એટલે કે 20 જાન્યુઆરી 1990ના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપ્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

હાલમાં સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ સામે આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફારુક અબ્દુલ્લાએ રાજીનામું આપતા પહેલા જ કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી બહાર કાઢવામાં આતંકવાદીઓને મદદ કરી હતી. કેટલીક પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સંઘ સમર્થિત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વી.પી. સિંહ અને જગમોહને કાશ્મીરી પંડિતોને ખીણમાંથી ભાગી જવા માટે સમજાવ્યા હતા. અન્ય કેટલીક પોસ્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિતોને બચાવવા માટે જગમોહન દ્વારા ખૂબ મોડું પગલું લેવામાં આવ્યું હતું. અમર ઉજાલા આ પોસ્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ કરતું નથી. જો કે, આ લેખમાં આપવામાં આવેલી હકીકતો પુસ્તકો અને દસ્તાવેજો પર આધારિત છે.

જ્યોર્જ ફર્નાન્ડિસ, 1990

ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત દરમિયાન, વીપી સિંહ સરકારે પરિસ્થિતિને બદલવાનો ખૂબ પ્રયાસ કર્યો. હિંસા રોકવા માટે, કેન્દ્રએ પ્રથમ માર્ચ 1990 માં કાશ્મીર બાબતોના મંત્રાલયની રચના કરી અને રેલવે પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસને વધારાનો હવાલો આપ્યો. જો કે, કાશ્મીરની સ્થિતિને સંભાળવા માટે બીજી નિમણૂકથી રાજ્યની સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી ગઈ. જગમોહન અને જ્યોર્જ ફર્નાન્ડિસ વચ્ચે તલવારો સ્પષ્ટ દેખાતી હતી. જગમોહને પીએમ વીપી સિંહને લખેલા પત્રમાં જ્યોર્જ ફર્નાન્ડિસ વિશે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જગમોહને પણ રાજીનામાની ધમકી આપી હતી. મે-જૂન 1990માં ત્રણ સપ્તાહના ગાળામાં બંને નેતાઓને કેન્દ્ર સરકારે હટાવી દીધા હતા. 10 નવેમ્બર 1990 ના રોજ, વીપી સિંહ સરકાર પડી અને ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકાર કેન્દ્રમાં આવી પછી કાશ્મીરની પરિસ્થિતિ સંભાળી ન શકી અને વિવિધ મુદ્દાઓ પર ઘેરાઈ.

નરસિમ્હા રાવ, 1992

કોંગ્રેસની બહારથી સમર્થન મળ્યા બાદ ચંદ્રશેખરે પીએમ રહીને માત્ર સાત મહિના જ સરકાર ચલાવી હતી. ચંદ્રશેખર સરકારના પતન પછી નરસિમ્હા રાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી. વરિષ્ઠ પત્રકાર અને ધ પ્રિન્ટના સંપાદક શેખર ગુપ્તાના લેખ મુજબ, જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા ત્યારે કાશ્મીરની સ્થિતિને સંભાળવી ખૂબ જ મુશ્કેલ હતી. આતંકવાદી પ્રવૃતિઓથી પ્રભાવિત પંજાબની પણ એ જ હાલત હતી. ગુપ્તાના જણાવ્યા મુજબ, રાવે બંને રાજ્યોને નિયંત્રણમાં લાવવા માટે તેમની રાજકીય સૂઝ અને બળનો ઉપયોગ કર્યો. જ્યારે કેપીએસ ગિલ પંજાબમાં હતા, ત્યારે તેમણે કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનું કામ કર્યું હતું.

કાશ્મીરમાં કડક પગલાં લેવાને કારણે રાવે તે દરમિયાન અમેરિકાના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. આ સિવાય પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ પણ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર જોરશોરથી ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, જ્યારે પાકિસ્તાને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું ત્યારે નરસિમ્હા રાવે પોતાની રાજકીય ચતુરાઈ બતાવીને વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને ભારતના પ્રતિનિધિ તરીકે મોકલ્યા. રાવની દ્રઢતા અને વાજપેયીની વકતૃત્વને કારણે જ પાકિસ્તાનને કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવો પડ્યો.

આ પણ વાંચો :Miss World 2021 : પોલેન્ડની કેરોલિના બિલાવસ્કાએ જીત્યો મિસ વર્લ્ડ 2021 નો તાજ, ભારતની મનસા વારાણસીને ટોપ 6માં પણ ન મળ્યુ સ્થાન

આ પણ વાંચો :કૃષિ મંત્રાલય ખેડૂતોને સશક્ત બનાવવા માટે કરી રહ્યું છે માઈક્રોસોફ્ટ સાથે કામ, જે ખેડૂતોની આવક વધારવામાં પણ કરશે મદદ

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">