મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ

દિલ્હી સરકાર સ્થળાંતર કરનારા, દૈનિક અને બાંધકામ કામદારોની સુખાકારી માટે પ્રતિબદ્ધ થઇ રહી છે. સરકારે તેમના જીવન નિર્વાહ, ખાવા, પીવા, કપડાં અને દવા વગેરેની વ્યવસ્થા માટે લોકડાઉનમાં મોટા પગલાં ભર્યા છે.

મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 11:51 AM

લોકડાઉન દરમિયાન દિલ્હી સરકાર સ્થળાંતર કરનારા, દૈનિક અને બાંધકામ કામદારોની સુખાકારી માટે પ્રતિબદ્ધ થઇ રહી છે. સરકારે તેમના જીવન નિર્વાહ, ખાવા, પીવા, કપડાં અને દવા વગેરેની વ્યવસ્થા માટે લોકડાઉનમાં મોટા પગલાં ભર્યા છે. હાઈકોર્ટને આ માહિતી આપતાં દિલ્હી સરકારે કહ્યું કે મુખ્ય સચિવ-ગૃહના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે, જે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પર નજર રાખશે.

હાઇકોર્ટે લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય, દૈનિક અને બાંધકામ કામદારો માટે લેવામાં આવતા યોગ્ય પગલાં અંગે દિલ્હી સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. સરકારે રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે સરકારે કામદારોના કલ્યાણ માટે અનેક પગલા લીધા છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં લેવા સમિતિની રચના કરવામાં આવી છે અને તેના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવ-ગૃહ ભૂપીન્દ્રસિંહ ભલ્લાની નિમણૂક કરવામાં આવી છે જે રાજ્યના નોડલ અધિકારી રહેશે.

બીજી તરફ, દિલ્હી પોલીસના વિશેષ કમિશનર રાજેશ ખુરાના દિલ્હી પોલીસના નોડલ અધિકારી રહેશે. કમિટીમાં આયુક્ત શ્રમ સભ્ય સચિવ, મુખ્ય સચિવ શ્રમ સભ્ય, શિક્ષણ નિયામક-સદસ્ય, વિશેષ સચિવ નાણા સભ્ય, મહેસૂલ નાયબ સચિવ-સભ્ય , કમિશનર વગેરે શામેલ હશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્ય, પાણી, દવા, આશ્રય, કપડાં વગેરે મજૂરોની પાયાની સુવિધાઓ સિવાય, બાંધકામના કામમાં રોકાયેલા કામદારોને કાર્યસ્થળ પર જ ખોરાક અને પાણી અને અન્ય સુવિધા મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નાણાં વિભાગ ભંડોળની વ્યવસ્થા કરશે.

રિપોર્ટ અનુસાર વર્ષ 2020 માં રજિસ્ટર્ડ કામદારોની સંખ્યા 55 હજારની આસપાસ હતી અને એક વર્ષમાં ખાસ કેમ્પ લગાવીને નોંધાયા હતા અને હાલમાં અહીં એક લાખ 71 હજાર 861 રજિસ્ટર્ડ કામદારો છે.

વર્ષ 2020 માં બે વારમાં પાંચ-પાંચ હજાર રૂપિયા કામદારોને સહાય પૂરી પાડવામાં આવી હતી અને 20 એપ્રિલ -2021 થી ફરી પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત શાળાઓમાં પૂરા પાડવામાં આવેલ મધ્યાહ્ન ભોજનનો ઉપયોગ કામદારો માટેના ભોજન તરીકે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: જાણો ઓપન બજારમાં ક્યારે મળશે કોરોનાની વેક્સિન, સરકારી ભાવથી કેટલો અલગ હશે ભાવ?

આ પણ વાંચો: રેમડેસિવિરને લઈને મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે જાણો કઈ રીતે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">