AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દેશમાં નફરતનું કારણ બેરોજગારી અને મોંઘવારી’, રાહુલ ગાંધીએ ઉદયપુરમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉદયપુરના વલ્લભનગરમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર પ્રહારો કર્યા. તેમને કહ્યું કે ભાજપના ધારાસભ્ય ગરીબ આદિવાસી પર પેશાબ કરે છે અને તમને આદિવાસી કહે છે. ભાજપ દેશમાં નફરત ફેલાવે છે, એટલે જ અમે ભારત જોડો યાત્રાની શરૂઆત કરી, જેથી દેશમાં મોહબ્બતની દુકાન ખુલે.

'દેશમાં નફરતનું કારણ બેરોજગારી અને મોંઘવારી', રાહુલ ગાંધીએ ઉદયપુરમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Rahul GandhiImage Credit source: File Image
| Updated on: Nov 21, 2023 | 6:12 PM
Share

દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને એવામાં દરેક પાર્ટી જોરશોરમાં પ્રચારમાં લાગી પડી છે અને વાતાવરણ પોતાના તરફી કરવા તનતોડ મહેનત કરી રહી છે. આ પ્રકારની મહેનતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ લાગી પડ્યા છે. રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ઉદયપુરના વલ્લભનગર પહોંચ્યા. તેમને અહીં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

દેશમાં નફરત ફેલાવે છે ભાજપ

રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભાજપ ઈચ્છતી જ નથી કે ગરીબ અને પછાત વર્ગ આગળ આવે, તે ઈચ્છે છે કે દેશનો દરેક ગરીબ, ગરીબ જ રહે. તેમને કહ્યું કે સવાલ તો એ છે કે ભાજપ દેશમાં નફરત કેમ ફેલાવી રહ્યું છે? નફરતનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. ભાજપ તમારૂ ધ્યાન બેરોજગારી અને મોંઘવારીથી હટાવી નફરત તરફ લઈ જઈ રહી છે. ભાજપ અને આરએસએસનું લક્ષ્ય આ જ છે કે ગરીબો, મજૂરો, ખેડૂતો આદિવાસીઓ અને દલિતોને પૈસાથી દુર રાખવામાં આવે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હિન્દુસ્તાન સોનાની ચીડિયા છે અને ભાજપ અને આરએસએસવાળા ઈચ્છે છે કે આ સોનાની ચિડિયાનું તમામ ધન અરબપતિઓને આપવામાં આવે અને આદિવાસી, પછાત લોકો આ ધન વિશે સવાલ ના ઉઠાવે. ભાજપ કહે છે કે હિન્દી શીખો, ભાજપના નેતાઓના બાળકો સારી ઈંગ્લિશ મીડિયમ શાળામાં ભણે છે, કારણ કે તે જાણે છે કે નોકરી મેળવવા માટે અંગ્રેજી આવડવુ કેટલુ જરૂરી છે પણ તે લોકો નથી ઈચ્છતા કે ગરીબના બાળકો ઈંગ્લિશ શીખે.

આ દેશ નફરતનો નહીં, મોહબ્બતનો દેશ છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાના આગળના ભાષણોમાં આદિવાસીને વનવાસી કહેતા હતા પણ મેં કહ્યું ત્યારબાદ તેમને વનવાસી શબ્દનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો. કોંગ્રેસ હંમેશા આદિવાસીઓના અધિકારીઓની રક્ષા કરતી રહેશે. અમે તમારી સાથે ઉભા રહીને તમને સારૂ શિક્ષણ, ફ્રીમાં સ્વાસ્થ્ય સેવાઓ અને તમારા હકનું પાણી અપાવીશું. અમારૂ લક્ષ્ય ભાજપે ફેલાવેલી નફરત અને હિંસા સામે ઉભા રહેવાનું હતું, કારણ કે આ દેશ નફરતનો નહીં, મોહબ્બતનો દેશ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">