AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરના આતંકવાદીઓમાં ફફડાટ, CCTV કેમેરા ના લગાવવા આપી ઘમકી

આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, લાલ ચોકની બાજુમાં હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર 2 માર્ચે અને તે પહેલા જાન્યુઆરીમાં થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ આતંકવાદીઓની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરવામાં આવી છે.

કાશ્મીરના આતંકવાદીઓમાં ફફડાટ, CCTV કેમેરા ના લગાવવા આપી ઘમકી
CCTV photo of the terrorist attack (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 9:02 AM
Share

કાશ્મીરમાં (Kashmir) સુરક્ષા દળોથી પોતાનો જીવ બચાવી રહેલા આતંકીઓ (Terrorists) હવે સીસીટીવી કેમેરાથી (CCTV camera) સંપૂર્ણપણે ડરી ગયા છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે CCTV કેમેરા ના લગાવો, તેનાથી દૂર રહો, નહીં તો તેના ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. આતંકવાદીઓ સીસીટીવી કેમેરાને સામાન્ય કાશ્મીરી મહિલાઓની ગોપનીયતા સાથે સાંકળી રહ્યા છે અને કહે છે કે તેમાં અમારી માતાઓ અને બહેનોની તસવીરો કેદ થાય છે. દરમિયાન, આતંકવાદીની ધમકીઓને ધ્યાનમાં લેતા, પોલીસે લોકોને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી અને કહ્યું કે ધમકી આપનારને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. જ્યાં સીસીટીવી કેમેરા હશે ત્યાં આતંકવાદીઓ પકડાઈ જવાના ડરથી નહીં આવે.

રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને કાશ્મીર ખીણમાં ભૂતકાળમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલાઓ અને લોકોના ઘરમાં ઘૂસીને નિર્દોષ નાગરિકોની હત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને, કાશ્મીર પોલીસે તમામ ભીડવાળા સ્થળો, ધાર્મિક સ્થળો, તમામ મુખ્ય વ્યાપારી સંસ્થાઓ અને બજારોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાનો ભંગ કરનાર સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે, પોલીસે લગભગ 500 નવા સીસીટીવી કેમેરા લગાવવાનું પણ નક્કી કર્યું છે. જે રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં પ્રાદેશિક અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે.

આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, લાલ ચોકને અડીને આવેલી હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર 2 માર્ચે અને તે પહેલા જાન્યુઆરીમાં થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ આતંકવાદીઓની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત આ મહિને મૈસુમામાં સીઆરપીએફના જવાનો પર હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ વર્કરોની ઓળખ હુમલાના સ્થળની નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવી છે. શ્રીનગરની બહાર અન્ય ઘણી જગ્યાએ આતંકવાદી ઘટનાઓમાં સામેલ આતંકવાદીઓને પકડવામાં સીસીટીવી કેમેરાની ભૂમિકા મહત્વની રહી છે. તે માત્ર આતંકવાદી ઘટનાઓ વિશે જ નથી, તે અન્ય અસામાજિક તત્વો અને ગુનેગારોને પકડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તેથી દરેકને સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચોઃ

Jahangirpuri violence: જહાંગીરપુરી હિંસા કેસમાં કડક કાર્યવાહીના આદેશ, છ શકમંદોની ઓળખ, ઘાયલ પોલીસના નિવેદન પણ નોંધાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">