AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર

Tallest statue of Bhimrao Ambedkar : આ અવસર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં ડો. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હૈદરાબાદના તેલંગણામાં કાર્યક્રમ સ્થળ પર ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા.

KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર
India’s Tallest Ambedkar Statue
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 5:28 PM
Share

આજે ભારતનું બંધારણ ઘડનાર ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજંયતિ છે. આ અવસર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે (KCR) હૈદરાબાદમાં ડો. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હૈદરાબાદના તેલંગણામાં કાર્યક્રમ સ્થળ પર ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા. અનાવરણ સમયે આંબેડકરની પ્રતિમા પર હેડિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રતિમા રાજ્ય સચિવાલયની પાસે જ છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે આ પ્રતિમા રોજ લોકોને કામ વધુ સારી રીતે કરવા પ્રેરિત કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આંબેડકરની ભારતની સૌથી ઊંચી પ્રતિમા, જે રાજ્ય સચિવાલયની બાજુમાં બુદ્ધ પ્રતિમાની સામે અને તેલંગાણા શહીદ સ્મારકની બાજુમાં સ્થિત છે, તે દરરોજ લોકોને અને સમગ્ર રાજ્ય વહીવટને પ્રેરણા આપશે.

ભારતની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમા

આ પણ વાંચો :  ચીનની ઊંઘ થશે હરામ ! Arunachal Pradesh બનશે ટુરિસ્ટ હબ, વિશ્વયુદ્ધના આ દ્રશ્યો પણ જોવા મળશે

ભારતની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાની ખાસિયત

આંબેડકરની આ પ્રતિમાની કુલ લંબાઈ 175 ફૂટ છે. જેના આધારમાં 50 ફૂટનું સંસદ પણ છે. આ પ્રતિમાનું વજન 474 ટન છે. આ પ્રતિમા માટે 114 ટન કાંસ્ય અને 360 ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમાને ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ મૂર્તિકાર રામ વનજી સુતાર અને તેમના પુત્ર અનિલ રામ સુતાર દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પ્રતિમાને પણ ડિઝાઈન કરી હતી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">